નવરાત્રિમાં મંદિર અને પ્રસાદ મુદ્દે રાજ્ય સરકારે કરી સ્પષ્ટતા કરતા લોકો માં હાશકારો ….

નવરાત્રિમાં મંદિર અને પ્રસાદ મુદ્દે ફરી એકવાર રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર મંદિરોમાં પ્રસાદ આપી શકાશે. કોરોના વાયરસના સંક્રમણને કારણે પ્રસાંદ બંધ પેકિંગમાં આપવામાં આવે તેવી રાજ્ય સરકાર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે. મંદિરમાં દર્શન બંધ અંગે પણ રાજ્ય સરકારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, સરકારે મંદિર બંધ નથી કર્યા. મંદિર બંધ કરવાનો નિર્ણય જે-તે મંદિર ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યો છે.

નવરાત્રિમાં પ્રસાદ પેકેટમાં આપવાની છૂટ

અગાઉ રાજ્ય સરકારે રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરવા પ્રતિબંધ મુક્યો હતો. જેની ગાઈડલાઈનમાં નવરાત્રી દરમિયાન પ્રસાદ વિતરણ ન કરવાની માટે જણાવવામાં આવ્યું હતું. જો કે, આજે મળેલી બેઠકમાં ગાઈડલાઈનમાં ફેરફાર કરીને પ્રસાદ બંધ પેકેટમાં આપવામાં છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, નવરાત્રીમાં પ્રસાદ માટેની SOPમાં ફેરફાર કરી પેકેટમાં પ્રસાદની છૂટ આપવામાં આવી છે.

ઘણા મંદિરો નવરાત્રિ દરમિયાન બંધ રહેશે

એક તરફ રાજ્ય સરકાર 17મી ઓક્ટોબરથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી, જંગલ સફારી, ચિલ્ડ્રન ન્યુટ્રિશન પાર્ક, ગીર અભ્યારણ, દાંડી ગાંધી સ્મારક વગેરેને ખોલી રહી છે તો બીજી તરફ નવરાત્રિ દરમિયાન રાજ્યના કેટલાંક પ્રસિદ્ધ મંદિરો બંધ રહેશે. જેમાં પાવાગઢ ખાતે આવેલું પ્રસિદ્ધ મહાકાળી મંદિર નવરાત્રિ દરમિયાન બંધ રહેશે. મીડિયા રિપોર્ટ મુજબ ઋષિ વિશ્વામિત્રના સમયનું આ મંદિર ઇતિહાસમાં પહેલીવાર નવરાત્રિમાં બંધ રહેશે. જોકે, અંબાજી મંદિર નવરાત્રિ દરમિયાન દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે. પરંતુ ચાચર ચોકમાં કોઈપણ ગરબાનું આયોજન નહીં થાય તેવું મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *