સુઇગામ તાલુકાના ધ્રેચાણા પે.કેન્દ્ર શાળાના આચાર્યએ તેમની ફરજ દરમ્યાન છાત્રોની શિષ્યવૃતિ અને શાળાની અન્ય ભૌતિક સુવિધાની કુલ,22,36,400 રૂપિયાની ગ્રાન્ટની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતું,જે અંગે તાલુકા શિક્ષણધિકારી અમરતભાઈ રબારીએ શાળાના આચાર્ય સેવંતીલાલ માવરિયા વિરુદ્ધ સુઇગામ પો.સ્ટેશને ઉચાપત ની ફરિયાદ નોંધાવી હતી,

દરમ્યાન જિલ્લા શિક્ષણધિકારી સંજય પરમારે ઉચાપત કરનાર તત્કાલીન આચાર્ય સેવંતીલાલ સગરામભાઈ માવરિયાને ફરજ મોકૂફ કરી ધાનેરા હેડક્વાર્ટર ખાતે બદલી કરતા શિક્ષક વર્તુળમાં ખળભળાટ મચી ગયો છે,અત્રે ઉલ્લેખનીય છે કે ધરેચાણા પે.કેન્દ્ર શાળાના આચાર્ય સેવંતીલાલ માવરિયાએ તેમની 2018 થી 2021 સુધીના સમય ગાળા માં તેમની ફરજ દરમ્યાન શાળાની ભૌતિક સુવિધા ની ગ્રાન્ટ અને બાળકોની શિષ્યવૃતિ મળી કુલ,22,36,400 ની ઉચાપત કરી હતી,આ અગાઉના આચાર્યએ પણ રૂ.8 લાખ ઉપરાંતની ઉચાપત કરી હતી,જેના વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી,