બુકણાવાસ માઈનોર-૧ તથા ૨ .૩ સીજનમાં ટેલ સુધી પાણી પહોચાડવા અને વાવડી ગેટ થી પોઈન્ટ થી ટેલ સુધી કી -વોલ બનાવવા ના મુદ્દે વાવ મામલદાર સાહેબ ને આવેદન પાઠવાયું …..
બનાસકાંઠા ના વાવ તાલુકા ના બુકણા ગામ ના ખેડૂતો દ્વારા વાવ મામલદાર સાહેબ ને આવેદન પાઠવવામાં આવ્યું હતું .જેમાં વિવિધ આક્ષેપો જેવા કે નર્મદા નિગમ ના અધિકારી ઓ તથા કોન્ટ્રાક્ટ ની મિલી ભગત ના કારણે બોગસ કામ કરવામાં આવ્યું છે જેથી જીરો પોઈન્ટ થી ટેલ પોઈન્ટ સુધી પાણી પહોચતું નથી .નર્મદા નિગમ ની વારંવાર લેખિત અને મૌખિત રજૂઆત કરવા છતા તંત્ર આંખ આડા કાન કરી સા માટે જોઈ રહ્યું છે ..