પ્રાંતિજના પુર્વ ઘારાસભ્ય મહેન્દ્રભાઇ બારૈયા ના કેશરીયા, સતત કોંગ્રેસમાં અવગણના થતી હોવાથી છેડો ફાડ્યો હોવાનો આક્ષેપ

ગાંઘીનગર પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે કોંગ્રેસના પ્રાંતિજના પુર્વ ઘારાસભ્ય મહેન્દ્રભાઇ બારૈયા તેમના સમર્થકો સાથે બીજેપીમાં જોડાયા હતાં આ દરમિયાન તેમણે કહ્યું કે,કોંગ્રેસમાં જૂથવાદની ચરમસિમા ખૂબ વધી છે. સતત અવગણના થતી હોવાથી કોંગ્રેસ સાથે છેડો ફાડી વિકાસની રાજનીતીમાં જોડાયો છું. તેમ આકરા પ્રહારો પણ મહેન્દ્રભાઇ બારૈયાએ કર્યા હતા. ભાજપમાં કોઇ પણ જાતની શરત વગર જોડાયો છું. આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી જે પણ જવાબદારી આપશે તે યોગ્ય રીતે પુર્ણ કરી તેમ મહેન્દ્રભાઇ બારૈયાએ કહ્યું હતું.આ કાર્યક્રમમાં મહેન્દ્રભાઇ બારૈયાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે, આજે શ્રાવણમાસના શુભ દિવસે ભગવાનને પ્રાર્થના કરી ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં જોડાયો છું. ગુજરાતના વિકાસના ભગીરથ કાર્યમાં ભારતીય જનતા પાર્ટી તરફથી જે પણ નાની કે મોટી જવાબદારી મળશે તે નિષ્ઠાપુર્વક કરીશ. કોંગ્રેસમાં જૂથવાદની ચરમસિમા ખૂબ વધી છે. સતત અવગણના થતી હોવાથી કોંગ્રેસ સાથે છેડો ફાડી વિકાસની રાજનીતીમાં જોડાયો છું. હું ભાજપમાં કોઇ પણ જાતની શરત વગર જોડાયો છું. આવનાર સમયમાં ભારતીય જનતા પાર્ટી જે પણ જવાબદારી આપશે તે યોગ્ય રીતે પુર્ણ કરીશ. આ પ્રસંગે પુર્વ સાંસદ જયસિંહજી, પુર્વ ઘારાસભ્યશ્રીઓ વિ.ડિ.ઝાલા, અશ્વિનભાઇ કોટવાલ, પ્રદેશના પ્રવકતા યમલભાઇ વ્યાસ,પ્રદેશના સહ પ્રવકતાશ્રીઓ ડો.રૂત્વીજ પટેલ, ભરતભાઈ ડાંગર,સાબરકાઠા જીલ્લા પ્રમુખ જે.ડી.પટેલ, કિસાન મોરચાના પ્રમુખ હિતેષભાઇ પટેલ,પ્રદેશ સોશિયલ મીડિયાના કન્વીનર સિદ્ધાર્થભાઇ પટેલ, સાબરકાઠા જીલ્લાના પ્રભારીશ્રીઓ રેખાબેન ચૌઘરી, ભરતભાઇ આર્ય સહિત પ્રદેશના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *