છોકરીઓ વીશે ટીપ્પણી કરીને વીવાદમાં ફસાયા આ અભીનેતા, મહીલા આયોગે સખ્ત કાર્યવાહીની કરી માંગ

અભિનેતા મુકેશ ખન્ના છોકરીઓ પર અપમાનજનક ટિપ્પણીને લઈને વીવાદમાં ફસાયેલા જોવા મળી રહ્યા છે. દિલ્હી મહિલા આયોગ (DCW)એ તેમના નિવેદન પર કડક વલણ અપનાવ્યું છે. દિલ્હી મહિલા આયોગે અભિનેતા વિરુદ્ધ એફઆઈઆર નોંધવા કહ્યું છે. આ માટે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે દિલ્હી પોલીસના સાયબર સેલને નોટિસ પાઠવી છે અને અભિનેતા વિરુદ્ધ એફઆઈઆર નોંધવાની માંગ કરી છે. DCW એ અભિનેતા વિરૂદ્ધ મહિલાઓ પર કથિત અપમાનજનક અને ખોટી ટિપ્પણી કરવા બદલ આ માંગ કરી છે.

વાયરલ થયો વિડિયો

અભિનેતા મુકેશ ખન્નાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે કહેતો જોવા મળે છે, 'જે છોકરી છોકરાને સેક્સ માટે પૂછે છે, તે બિઝનેસ કરે છે. લોકોએ આવી વાતોમાં ન પડવું જોઈએ. મુકેશ ખન્ના કહેતા જોવા મળે છે કે, 'જો કોઈ છોકરી આવું કહે છે, તો તેનો સીધો અર્થ એ છે કે છોકરી સંસ્કારી સમાજની નથી, કારણ કે સંસ્કારી સમાજની છોકરી આવું નહીં કહે.' તેની આ કમેન્ટ પર યુઝર્સ તેને ઘણું કહી રહ્યા છે.

સ્વાતિ માલીવાલે કર્યું ટ્વીટ 

દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે એક ટ્વિટમાં આ માહિતી શેર કરી છે કે, દિલ્હી મહિલા આયોગ મુકેશ ખન્નાની ટિપ્પણી પર કડક કાર્યવાહીની માંગ કરી રહ્યું છે. તેમણે લખ્યું, 'અમે શક્તિમાનનું પાત્ર ભજવતા અભિનેતા મુકેશ ખન્ના દ્વારા મહિલાઓ વિરુદ્ધ કરવામાં આવેલા વાંધાજનક નિવેદનો પર એફઆઈઆર નોંધવા માટે દિલ્હી પોલીસને નોટિસ પાઠવી છે.

અભિનેતાને માર્યો ટોણો 

આ અંગે દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલનું કહેવું છે કે, 'આ નિવેદન મહિલાઓ પ્રત્યે અપમાનજનક અને મહિલાઓ પ્રત્યે નફરત છે. અભિનેતાના આ નિવેદન પર IPCની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી થવી જોઈએ. તેથી, સાયબર ક્રાઈમ દિલ્હી પોલીસને આ સંબંધમાં એફઆઈઆર નોંધવા માટે નોટિસ જારી કરવામાં આવી છે. તેમજ એફઆઈઆરની નકલ સાથે આ મામલે કરવામાં આવેલી કાર્યવાહીનો રિપોર્ટ 13 ઓગસ્ટના રોજ સાંજે 4 વાગ્યા સુધીમાં ડીસીડબ્લ્યુને આપવા માટે કહેવામાં આવ્યું છે. સ્વાતિ માલીવાલે પણ એક ટ્વીટ દ્વારા અભિનેતા પર ટોણો માર્યો છે. સ્વાતિ માલીવાલે કહ્યું હતું કે, 'શક્તિમાન માત્ર હવામાં ઉડવાથી જ નહીં પરંતુ મહિલાઓના સન્માનથી બને છે. આ રીતે છોકરીઓને 'ધાંદે વાલી' કહેવી મુકેશ ખન્નાની નબળી વિચારસરણી દર્શાવે છે. તેનો શો જોઈને શેતાન બાળકો 'સોરી શક્તિમાન' કહેતા હતા. તેમણે આજે પોતાના નિવેદન માટે આખા દેશની માફી માંગવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *