વાવ-થરાદગુજરાત સરકાર દ્વારા તા. ૧૩ મે ૨૦૨૬ના રોજ રાજ્યભરના આઈએએસ (IAS) અધિકારીઓની મોટા પાયે બદલીઓ જાહેર કરવામાં આવી હતી. આ બદલીઓમાં વાવ-થરાદ જિલ્લામાં પણ મહત્વપૂર્ણ વહીવટી ફેરફારો કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકારના આદેશ અનુસાર શ્રી મયુર કે. મહેતા (IAS) ને વાવ-થરાદ જિલ્લાના નવા કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ હાલના કલેક્ટર જે.એસ. પ્રજાપતિનું સ્થાન સંભાળશે. નવા કલેક્ટરની નિમણૂક બાદ જિલ્લા વહીવટી તંત્રમાં નવી દિશા અને વિકાસલક્ષી કામગીરીને વધુ ગતિ મળશે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે.તે ઉપરાંત વાવ-થરાદ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી (DDO) કાર્તિક જીવાણી (IAS) ની પણ બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે તેમને નવસારી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે નવી જવાબદારી સોંપી છે.રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી આ વહીવટી બદલીઓનો મુખ્ય હેતુ શાસન વ્યવસ્થાને વધુ અસરકારક, ગતિશીલ અને લોકો સુધી કેન્દ્રિત બનાવવાનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. નવા અધિકારીઓના આગમન અને બદલીઓથી જિલ્લામાં વિકાસ કાર્યો અને વહીવટી કામગીરીમાં નવી ઉર્જા આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.