ભૂલવાની બીમારી બની રહી છે મહામારી, આ બીમારીના ઈલાજ પર નહીં પરંતુ બચાવ પર ધ્યાન આપવું પડશે

ભૂલવાની બીમારી બની રહી છે મહામારી, આ બીમારીના ઈલાજ પર નહીં પરંતુ બચાવ પર ધ્યાન આપવું પડશે

નાની વય હોય કે મોટી વય, લોકો કોઈ પણ વાતને સરળતાથી ભૂલી જતા હોય છે. ભૂલી જવાની બીમારી તો વૃદ્ધોમાં જોવા મળે છે, પરંતુ શું તમને ખબર છે કે, તેની શરૂઆત યુવાવસ્થાથી થાય છે? ડૉક્ટરો પણ ભૂલી જવાની બીમારી (ડિમેન્શિયા)ને મહામારી ગણાવી રહ્યા છે. આ બીમારી વિશે ડોક્ટરોએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, આ બીમારી પર અલ્ઝાઇમર્સ ડિસીઝના ઈલાજની દવા ‘ક્રેનેજુમાબ’ પણ કોઈ અસર કરી શકી નથી.

યુનિવર્સિટી કૉલેજ ઑફ લંડનના મનોચિકિત્સક અને ડિમેન્શિયા પ્રિવેન્શન પર લેન્સેટ કમિશનના વડા ડૉ. ગિલ લિવિંગ્સ્ટનએ પણ દવાને લઈને હાલમાં કરવામાં આવેલી ટ્રાયલ પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે. ભૂલી જવાની બીમારીના બદલે વિકલ્પો વિશે વિચારવું જોઈએ – ભૂલી જવાની બીમારીના બદલે વિકલ્પો વિશે વિચારવું જોઈએ ડિમેન્શિયાથી કેવી રીતે બચી શકાય તે જાણવું જરૂરી છે ડૉક્ટર લિવિંગ્સ્ટને આ બીમારી વિશે જણાવ્યું હતું કે, ‘બહુ જ નિરાશાજનક વાત કહેવાય કે, આ બીમારી સામે લડવા માટે કોઈ દવા નથી, તો દવા જ એક માત્ર રસ્તો નથી આપણે વિચારવું પડે.’ સંશોધકો અને સ્વાસ્થ્ય વિશેષજ્ઞ આ બીમારી વિશે જણાવે છે કે, ડિમેન્શિયાથી બચવા માટે બીજી રીતે કામ કરવું જોઈએ. તો ડિમેન્શિયા કયા કારણે થાય છે તેના પર ધ્યાન આપવું જોઈએ.

સંશોધનમાં જાણવા મળ્યું હતું કે, 40% દર્દીઓમાં ડિમેન્શિયાનું કારણ નાની વયમાં બ્લડપ્રેશર (BP), ધૂમ્રપાન, ઉંમર થતાં ઓછું સાંભળવું, જોવામાં સમસ્યા થવી. તો આ બીમારીના ઈલાજની બદલે આ બીમારીથી કેવી રીતે બચી શકાય તેના પર ધ્યાન આપવું ખાસ જરૂરી છે.

ડિમેન્શિયા 62% દર્દીઓને આંખની તકલીફ અમેરિકામાં આંખની રોશનીની ફરિયાદને આધારે કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે, ડિમેન્શિયાના 62% દર્દીઓ આંખની સમસ્યાથી પીડિત છે. સંશોધકોએ શોધ્યું કે, આંખને સ્વસ્થ રાખીને દર વર્ષે એક લાખ લોકોને ડિમેન્શિયાની બીમારીથી બચી શકાય છે. ડૉ. જોશુઆ એર્લિચએ જણાવ્યું હતું કે, આંખની સમયસર તપાસ અને તેને લગતી બીમારીનો ઈલાજ કરાવવાથી ડિમેન્શિયાની બીમારીથી બચી શકાય છે. 5.5 કરોડ લોકો ડિમેન્શિયાની બીમારીનો શિકાર વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)નું માનીએ તો, દુનિયામાં 5.5 કરોડ લોકો ભુલકણા છે. આ દર્દીઓ પૈકી 60% દર્દીઓ લો અથવા મિડલ ઇન્કમ દેશોના નાગરિક છે.

WHOના જણાવ્યા અનુસાર, વર્ષ 2030 સુધી ભૂલી જવાની બીમારીના દર્દીઓની સંખ્યા 7.8 કરોડ થઇ જશે. તો વર્ષ 2050માં આ આંકડો 13.9 કરોડ સુધી પહોંચી જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *