દીયોદર તાલુકા માં શૌચાલય કૌભાંડ માં અટવાતી પ્રજા

  • સરકારનો કરોડો રૂપિયાનો ચૂનો..પ્રજા જૈસે થે..ચર્ચાસ્પદ..
  • સરકારને ચોપડે ર૦ર૦ સુધીમાં ૧૦૦ ટકા શૌચાલય અંતર્ગત તાલુકામાં ૩૦૭૧પ બન્યાં….

સરકારનો લક્ષ છે કે ગ્રામીણ વિસ્તારની કોઈ પ્રજા શૌચાલયથી વંચીત રહેવી ન જોઈએ આ માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાતી રહી છે  અને હાલ ફાળવાઈ રહી છે. છતાં પ્રજાજનો એજ હાલતમાં છે. દીયોદર તાલુકામાં કરોડો રૂપિયાના શૌચાલયો કાગળના ઘોડા સમાન બની ગયા છે. સખી મંડળના નામે કરોડો રૂપિયા ચુકવાઈ ગયા છે અને સરકારને કરોડો રૂપિયાનો ચુનો લાગી ગયો છે છતાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો એક સિક્કા ની બાજુ હોય તેવું લાગી રહ્યું છે. અને પ્રજા આજે પણ ખુલ્લામાં શોચક્રિયા કરી રહી છે. દીયોદર તાલુકામાં ૧૦૦ ટકા શૌચાલયોના ઓડીઓફ થયાની જાહેરાતો થઈ બાદમાં ફરીથી શૌચાલયો આવ્યા છે. ગત વખતે સરકારે કરોડો રૂપિયાનો ચુનો લગાવ્યા બાદ પણ લક્ષ ને ના  પામેલા અધિકારીઓ પૂનઃ મેદાનમાં આવ્યા છે. દીયોદર તાલુકામાં હજારો નવા શૌચાલયો બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. આ કામો હાલે સખી મંડળના નામે ફાળવાયા છે. તાલુકાના કોઈ કર્મચારી એક કોન્ટ્રાક્ટર સાથે મીલી ભગત કરી રાસરમતા કૃષ્ણ ભગવાનના નામે ભળતું નામ ધારણ કરી સખી મંડળ બનાવી કહેવાય છે કે જેના ટ્રેનીંગના સર્ટીફીકેટો પણ શંકાસ્પદ હોવાનું ચર્ચાય છે. તાલુકાના ર૦-રપ ગામોના MOU કરી ભારે ઘુપ્પલબાજી આચરવાનો મનસુબો મનાવ્યો હોવાનું ચર્ચાસ્પદ બનવા પામેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *