ગુજરાત માં આવનાર ૨૦૨૨ ની ચુંટણી ને લઈને ગુજરાત કોંગ્રેસ તેમજ જીલ્લા કોંગ્રેસ દ્વારા ગામડાઓ ના પ્રવાસ થકી વાવ સુઈગામ તેમજ ભાભર તાલુકા સમિતિ ની ઉત્તર ગુજરાત ના પ્રભારી વીરેન્દ્ર સિંહ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને કારોબારી બેઠક બોલાવી હતી .ચાઈ પે ચર્ચા સાથે પાર્ટી ના કાર્યકરો તેમજ હોદ્દેદારો સાથે સંગઠન ને વધુ મજબુત બનાવવા તેમજ સ્થાનિક નવું માળખું બનાવવા તાલુકા સમિતિ ઓ માં વિસ્તૃત સંવાદ કર્યો હતો.વધુ માં બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ ના પ્રમુખ ભરતસિંહ વાઘેલા દ્વારા આવનાર સમાય માં વાવ વિધાનસભા થી લઈને માં અંબાજી સુધી પદ યાત્રા યોજાવાની છે તેમ જણાવ્યું હતું . આ કાર્યક્રમ માં બનાસકાંઠા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા,વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ,કે.પી ગઢવી .પૂર્વ તાલુકા પંચાયત ના પ્રમુખ અમીરામભાઈ આશલ ,ભચાભાઈ આહીર,તાલુકા સમિતિ પ્રમુખ વાવ નરસેંગ ભાઈ સોલંકી ,તેમજ પૂર્વ તાલુકા સમિતિ ના પ્રમુખ સુરેશભાઈ ત્રિવેદી સહિત વાવ વિધાનસભા ના પ્રમુખ વિક્રમ સેગલ સહીત પાર્ટી ના કાર્યકરો હાજર રહ્યા હતા