ગાંધીનગરમાં જૂના સચિવાયલનું અધધ 4 અબજના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે

ગાંધીનગરની જૂના સચિવાલયને નવું રંગરોગાણ કરવામાં આવશે. 19 ગ્રુપ અત્યારે સચિવાયલમાં જેમાં 8 ગ્રુપને સમાવવામાં આવશે. 3 માળના સ્થાને 9 માળના બ્લોક ઉભા કરવામાં આવશે.નવા સચિવાયલની સામે આવેલા જૂના સચિવાલયમાં અત્યારે સરકારની વિવિધ કચેરીઓ કાર્યરત છે ત્યારે આ કચેરીઓને નવું રુપ આપવામાં આવશે, આ પહેલા અહીં તમામ મંત્રીઓ રાજ્યકક્ષાના અને કેબિનેટ કક્ષાના બેસતા હતા ત્યારે નવા સચિવાલય બન્યા બાદ સ્વર્ણિમ સંકુલ ખાતે તમામ મંત્રીઓ, સીએમ, સહીતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે ત્યારે જુના સચિવાલયમાં વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ બેસે છે. જયાં વધુ કામનું ભારણ અને વધુ કર્મચારીઓ સમાવવાના હોવાથી અને જૂના સચિવાલયના બાંધકામને સમયગાળો થયો હોવાના કારણે અત્યારે ત્યાં રીડેવલપનું કામ કરવામાં આવશે.દરેક બ્લોક પાછળ રુ. 50 લાખનો ખર્ચ કરવામાં આવશે. નવો લુકઆઉટ પણ આપવામાં આવશે. આઉટ પ્લાન પર તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેના માટે નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવશે. વિધાનસભાના બજેટ સત્રમ દરમિયાન રીડેવલપ માટેની સૈદ્ધાતિક મંજૂરી આપવામાં આવી હતી. 4 અબજ જેટલી રકમની જોગવાઈ કરવામાં આવી છે.19 જેટલા બ્લેક છે 8 જેટલા બ્લોક તૈયાર કરવામાં આવશે, આર એન્ડ બી દ્વારા અત્યારે કામગિરી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *