ઢીમા યાત્રાધામ નાં ઐતિહાસિક માંદેળા તળાવમાં ગંદુ પાણી નાખતાં ટ્રસ્ટો ને નોટિસ અપાશે

વાવ તાલુકાનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ધામમાં શ્રી ધરણીધર ભગવાન અને શ્રી શેષઅવતાર ઢીમણનાગ દાદાનાં દર્શન કરી જીલ્લા કલેકટરે ધન્યતા અનુભવી હતી મંદિર ટ્રસ્ટ દ્વારા ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું.શ્રી ધરણીધર ભગવાનનાં મંદિરની સામે જ આવેલ ઐતિહાસિક માંદેળા તળાવમાં વર્ષો પહેલાં સાક્ષાત ગંગાજી પ્રગટ થયાં હોવાની લોકમાન્યતાઓ છે.ત્યારે જગપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ધામમાં લાખ્ખો રૂપિયાનાં ખર્ચે માંદેળા તળાવનું ડેવલપમેન્ટ કરવામાં આવી રહ્યું છે.ત્યારે શનિવારે સાંજે 4.30 કલાકે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર આનંદભાઈ પટેલ,થરાદ નાયબ કલેક્ટર, વાવ મામલતદાર સહિત અધિકારીઓએ વિકાસ કામોની સમીક્ષા કરી હતી.અને જગપ્રસિદ્ધ યાત્રાધામમાં આવતાં દરરોજ શ્રદ્ધાળુઓની અવરજવરની માહિતી મેળવી હતી.


પવિત્ર યાત્રાધામ ઢીમાનાં ઐતિહાસિક માંદેળા તળાવમાં વર્ષોથી ધર્મશાળાઓ અને મંદિર ટ્રસ્ટો દ્વારા ગટરનું ગંદુ પાણી ઠાલવે છે.ત્યારે ગ્રામજનો સહિત શ્રદ્ધાળુઓની આસ્થાનાં પ્રતીક સમાન પવિત્ર તળાવમાં ગંદુ પાણી ઠાલવતા ભારે રોષ ફેલાયો છે.ત્યારે દર પૂનમે ભરાતાં લોકમેળા સહિત અહીં આવતાં શ્રદ્ધાળુઓ માંદેળા તળાવમાં ઉતરી શ્રદ્ધાથી ચરણામૃત તરીકે પીવે છે.ત્યારે ગટરોનું ગંદુ પાણી ઠાલવનાર ટ્રસ્ટ અને ધર્મશાળાઓને ગંદુ પાણી બંધ કરવાની જિલ્લા કલેકટર દ્વારા ગ્રામપંચાયતને તાકીદ કરી હતી.અને પવિત્ર યાત્રાધામમાં બની રહેલ વિકાસ કામોની પણ સમીક્ષા કરી હતી.
અત્રે નોંધનીય છે કે આવનાર ટૂંક સમયમાં જ શ્રી ધરણીધર ભગવાન મંદિરની સામે આવેલ ઐતિહાસિક સાત કુવાઓનો પણ વિકાસ કરવામાં આવશે.અને લોકો આ કુવાઓનું જળનો પણ સાત્વિક રીતે ઉપયોગ કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *