વાવ તાલુકાના બાહિસરા ગામે લગભગ છ થી સાત વર્ષ પહેલાં સરકાર દ્વારા લાખો રૂપિયાના ખર્ચે જનતા ના હિત માં સ્વજલધારા યોજના માં નલ સે જલ યોજના હેઠળ પાણી ની ટાંકી અને સંપ બનાવેલ હતો જેમાં પાણી પુરવઠા કે ગ્રામ પંચાયત દ્વારા આજ દિન સુધી ક્યારેય પાણી ચઢાવવામાં આવેલ નથી અને ભ્રષ્ઠ કોન્ટ્રાક્ટરે ખરાબ કામ કરેલ છે જેથી ટાંકી અને સંપ હાલમાં જર્જરિત હાલતમાં છે તથા આજુબાજુ ગંદકી નું સામ્રાજ્ય છે ગામ માં મોટા ભાગ ના લોકો એ પોતાના ખર્ચ નળ કનેકશનો લીધેલા છે જેની રજૂઆત લોકો દ્વારા જીલ્લા કલેકટર તેમજ ડીડીઓ સાહેબ ની કરી હતી
રજૂઆત ના પગલે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રી ના હુકમ થી દરેક ને નલ સે જલ યોજના માં ઘરે પાણી મળી રહે તેમ કરતાં ગત રોજ ભાભર પાણી પુરવઠા અને વાવ તાલુકા પંચાયત ના અધિકારી ઓએ જાત નિરીક્ષણ કર્યું પરંતુ ખરાબ કામ કરેલ હોઇ ટાંકી અને સંપ તુટેલા હોય અંદર પાણી રહે તેમ નથી જેથી જર્જરિત જાહેર કરવામાં આવ્યું.આમ આ ભ્રષ્ઠ કોન્ટ્રકટર ના વિરુધ માં કેવા પગલા ભરવામાં આવે છે જે હવે જોવાનું રહ્યું