વાવ તાલુકા ના વાસરડા ગામે ત્રણ અસ્થિર મગજની દિવ્યાંગ દીકરીઓને વ્હારે આવ્યું બનાસકાંઠા વહીવટી તંત્ર

બનાસકાંઠા જિલ્લામાં આવેલ વાવ તાલુકાના વાસરડા ગામમાં રહેતા શંકરભાઈ ચોથાભાઈ ઠાકોર ની ત્રણ  માનસિક દિવ્યાંગ દીકરીઓ હતી અને ડોક્યુમેન્ટ ના હોવાના કારણે સરકારની કલ્યાણકારી યોજનાઓથી વંચિત રહેતા હતા આ બાબતે થોડા સમય અગાઉ વિડિયો વાઇરલ થયો હતો ત્યારે વહીવટી તંત્રના ધ્યાને આવતા કલેક્ટર શ્રી બનાસકાંઠાના આદેશ થી ત્રણેય માનસિક દિવ્યાંગ દીકરીઓને પાલનપુર સિવિલમાં લાવી આધાર કાર્ડ, દિવ્યાંગ પ્રમાણપત્ર કાઢવા માટેની તમામ પ્રોસેસ કરવામાં આવી હતી ત્યાર બાદ દિવ્યાંગ પેન્શન ,નિરામયા કાર્ડ  વગેરે નો પણ લાભ આપવામાં આવશે તેવું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી એ જણાવ્યું હતું તથા ત્રણેય દીકરીઓ સહિત દિવ્યાંગ પરિવારને ઠાકોરદાસ ખત્રી પણ કાળઝાળ ગરમીમા ચપ્પલ આપી સહયોગી બન્યા હતા   આ સાથે સિવિલ સર્જન ડૉ. ડી.બી જૈન, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી મનીષભાઈ જોષી,ઓર્થોપેડીક સર્જન મંથન સોની, સાઈકયાટ્રીક ડૉ. કન્દ્રપ બ્રહ્મભટ્ટ ,સિસ્ટમ મેનેજર પ્રવીણભાઈ ગૌસ્વામી, ધવલ મહેતા ( કાઉન્સેલર ),બનાસકાંઠા જિલ્લા દિવ્યાંગ પ્રતિનિધિ કપિલ ચૌહાણ તથા જયેશ ચૌહાણ ( સમાજ સુરક્ષા સ્ટાફ), ભવાની જોષી( સમાજ સુરક્ષા સ્ટાફ ),કાર્તિક ખત્રી, સિવિલ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહી મદદરૂપ બન્યા હતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *