બનાસકાંઠાના થરાદ તાલુકાના વિસ્તારની વધુ ચાર શાળાઓમાં છબરડા સામે આવ્યા

થરાદ તાલુકાની શાળા ના પરીણામ માં ભૂલ થતાં સોશિયલ મીડિયામાં પરીણામ વાયરલ થયા હતા જેના બાદ શિક્ષકો પોતાની બેદરકારીને છુપાવવા માટે નવું પરીણામ બનાવી ને  પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું હતું કેમ તંત્ર દ્વારા આવા બેદરકાર અને કામગીરીમાં ભૂલ કરનાર શિક્ષકોની સામે પગલાં ભરતાં નથી જો આવી ભૂલો કરતા હશે તો આ શિક્ષકો બાળકોને શું શિક્ષણ આપતા હશે એવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે…

થરાદ ની વધુ ત્રણ શાળા માં રિજલ્ટ નો ગોટાળો સામે આવતા મુદ્દો ચર્ચા માં ગઈ કાલે પણ થરાદ ના મિયાલ ની શાળાના રિજલ્ટ માં ગોટાળો સામે  આવ્યો હતો જેના બાદ લોકો એ તાલુકાની બીજી શાળા ઓના પરીણામ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હતા જેમાં બીજી ત્રણ શાળાઓ ના પરીણામ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા  જેમાં  થરાદ ના વડગામડા ની અણદાજી ગોળીયા શાળા . રડકાની અનુપમ  શાળા અને કુંભારા પ્રાથમિક શાળાના રિજલ્ટ માં બેદરકારી આવી સામે રડકા અનુપમ શાળા ના પરિણામ માં ગણિત માં 160 માંથી  258 ગુણ મુકાયા ત્યારે  વડગામડા ની અણદાજી ગોળીયા શાળા માં પણ હિન્દી માં 160 માંથી 162 ગુણ અપાયા ત્યારે કુંભારા પ્રાથમિક શાળામાં સંસ્કુત માં 160 માં થી 176 ગુણ આપતા શિક્ષકો ની બેદરકારી સામે આવી છે શાળા ના બાળક નું સમગ્ર રિજલ્ટ સોસીયલ મીડિયા માં વાયરલ થતા શિક્ષકો ની કામગીરી બાબતે અનેક લોકો કરી રહ્યા છે ચર્ચા પરિણામ વર્ગશિક્ષક એ તૈયાર કર્યા બાદ આચાર્ય એ પણ સહી સિક્કા કરી માર્કશીટ ને  વેલીડ કરી વિધાર્થી ને આપી દેવામાં આવી છે એમાં ગુજરાત સરકાર શિક્ષણ સુધારા ની વાતો કરતી સરકાર ની કામગીરી પર પાણી ફેરવતા આવા શિક્ષકો.સામે સરકાર શુ પગલાં ભરશે એ તો આવનાર સમય બતાવશે …? જ્યાં  મૂલ્યાંકન કરતા વધુ ગુણ  અપાતા હોય ત્યાં બાળક નું ઘડતર કેવું થતું હશે આટલી મોટી બેદરકારી ગુજરાત સરકાર ની શિક્ષણ નીતિ પર ઉઠી રહ્યા છે અનેક સવાલો  સુ આટલી મોટી ભૂલ શિક્ષક કે આચાર્ય ના ધ્યાન નહિ આવી હોય..?વર્ગ શિક્ષક બાદ આચાર્ય શ્રી એ પણ રિજલ્ટ માં ભૂલ કેમ ન પકડી..?આ ભૂલ સરત ચૂક થિ કે જાણી જોઈ ને કરેલી હતી.. ?સુ આ છે ગુજરાત સરકાર ની નવી નીતિ કે શિક્ષકો ને પણ સમજ નથી પડતી…?રિજલ્ટ માં આવો ગોટાળો તો શિક્ષણ માં કેવો મોટો ગોટાળો હશે આ શાળા માં…? સોસિયલ મિડિયા વિધાર્થી નુ માર્કશીટ વાયરલ થતા અનેક લોકોએ ઉઠાવ્યા સવાલો જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યા મુજબમીયાલ પ્રાથમિક શાળા ના શિક્ષક ને ફરજ પરથી બરતરફ કરવામાં આવ્યા છે અને અન્ય શાળાઓમાં જે છબરડા થયા છે તે તપાસ ટીમ ની રચના કરી છેએમના ઉપર પણ કાર્યવાહી થશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *