વાવ માં આમ આદમી પાર્ટી નો જનસંવાદ ,150 કાર્યકરો જોડાયા

સરહદી બનાસકાંઠા ના વાવ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટી ના ખેડૂત નેતા સાગરભાઈ રબારી ની આગેવાની હેઠળ વાવ વાવડી ત્રણ રસ્તા ની બાજુ માં ખેડૂત ના પ્રશ્ન ને લઈને જનસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં અંદાજિત 150 થી વધારે લોકો આપ ની વિચારધારા સાથે જોડાયા હતા .આ કાર્યક્રમ માં પ્રદેશ કિશાન એકતા મંચ તેમજ ગુજરાત આપ ના ખેડૂત નેતા સાગરભાઈ રબારી, ગુજરાત કિશાન પ્રદેશ સંગઠન મંત્રી ભૂરાજી ગોહિલ આઝાદ, ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી રમેશ નાભાની , બ.કા.જિલ્લા ઉપપ્રમુખ વશરામભાઇ પ્રજાપતિ ,તેમજ વાવ આપ ના પ્રમુખ કે.કે. રાજપૂત,વાવ તાલુકા યુવા વિંગ ના પ્રમુખ શિવરામભાઈ પરમાર ,વાવ વિધાનસભા પ્રભારી એ બી પટેલ આપ નેતા ડૉ ભીમ ભાઈ ભાભર તાલુકા પ્રમુખ છગનજી ઠાકોર ભાભર શહેર પ્રમુખ કીર્તિ ભાઈ માળી સુઈગામ તાલુકાના પ્રમુખ ભરતભાઇ ચૌધરી રામસિંહ રાઠોડ ભરતપુરી ગૌસ્વામી સિધ્ધરાજહિ રાઠોડ  સહિત ગામ લોકો તેમજ ખેડૂતો બહોળી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *