ગુજરાત માં દેશ ના પ્રધાન મંત્રી ના આગમન થી બનાસકાંઠા માં ગત રોજ તા-૧૯-૦૪-૨૦૨૨ ના રોજ દિયોદર તાલુકા ના સનાદર ખાતે નવીન બનાસડેરી તેમજ કેટલાક પ્રકલ્પો નું લોકાર્પણ કરવા માન .વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી ના હસ્તે કરાયું હતું .જે પ્રસંગ ને લઈને ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો ને આડે હાથ લેતા નવધણ જી ઠાકોરે પૂર્વ ધારાસભ્ય કેશાજી ચૌહાણ ને સ્ટેજ પર સ્થાન ના મળતા વિડીયો વાઈરલ કરી બળાપો કાઢી દુખ ની લાગણી વ્યક્ત કરી હતી અને વધુ માં કહ્યું હતું કે આ દુખ ની બાબત નો બદલો આગામી આવનાર ૨૦૨૨ ની વિધાનસભા ની ચુંટણી ને લઈને ઠાકોર સમાજ જરૂર લેશે વધુમાં કહ્યું હતું કે તમારે તમારું સ્થાન કહ્યા હોવું જોઈએ એ તમારે નક્કી કરવાનું છે ગુજરાત ની અંદર કઈ પાર્ટી માન આપે છે કઈ પાર્ટી સન્ન્માન આપે છે તે પાર્ટી વહેલી તકે પકડી લ્યો તેમ જણાવ્યું હતું ..