ગુજરાત ની અંદર વારમ વાર લેવામાં આવતી પરીક્ષા માં મોટાભાગની ભરતી માં પેપરલીક ની ભૂલો નું પુનરાવર્તન કેમ થાય છે એ બાબતે વિદ્યાર્થીઓ એ આક્રોશ વ્યક્ત કર્યો હતો સાથે સરકાર શ્રી સમક્ષ માંગ કરી હતી કે આ ભરતી વનવિભાગ દ્વારા ફરીથી લેવામાં આવે જેથી છેલ્લા ચાર વર્ષ થી મહેનત કરતા વિદ્યાર્થીઓ એ માંગણી વ્યક્ત કરી હતી . તા.૩૧/૦૩/૨૦૨૨ ના રોજ ધાનેરા તાલુકાના બેરોજગાર વિદ્યાર્થી મિત્રો દ્વારા વનરક્ષક પરીક્ષા માં થયેલ પેપર લીક ની ઘટનાને ધ્યાનમાં રાખીને મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં મુદ્દાસર રજૂઆતો કરવામાં આવી હતી…..
રિપોર્ટર : બાજુભાઈ વણકર ધાનેરા