ખેડૂતો ના યોગ્ય વળતર ના મુદ્દે , જેટકો કંપની ના વિરુદ્ધ માં વાવ અને થરાદ ના ધારાસભ્યો એ વાવ મામલદાર કચેરી ખાતે પ્રતિક ઉપવાસ અને ધરણા કાર્યક્રમ યોજ્યો .

ખેડૂતો ના યોગ્ય વળતર ના મુદ્દે , જેટકો કંપની ના વિરુદ્ધ માં વાવ અને થરાદ ના ધારાસભ્યો એ વાવ મામલદાર કચેરી ખાતે પ્રતિક ઉપવાસ અને ધરણા કાર્યક્રમ યોજ્યો .

વાવ તાલુકાના કારેલી-ચંદનગઢ ગામની સીમમાં જેટકો દ્વારા ખેડૂતોના ખેતરોમાં ખેડૂતોની મંજૂરી કે વળતર આપ્યા વગર ઉભા પાકમાં વીજલાઈનનું કામ ચાલુ કરી દીધું હતું. જેને લઈ ખેડૂતોએ થરાદ નાયબ કલેકટર તેમજ વાવ ધારાસભ્યને જાણ કરતા શનિવારે રૂબરૂ મુલાકાત લઈ કામ અટકાવ્યું હતું અને ખેડૂતોને વળતર આપી કામ ચાલુ કરવા જણાવ્યું હતું તે ઉપરાંત ખેડૂતો ને યોગ્ય વળતર જાહેર ન થતા વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તથા થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત .તેમજ વાવ તાલુકા ના કોંગ્રેસ અગ્રણી કેપી ગઢવી સાહેબ તથા ખેડૂતો એમ વગેરે કાર્યકર્તા સાથે વાવ મામલદાર કચેરી ખાતે પ્રતિક ઉપવાસ પર બેઠા છે .આમાંરી યે હૈ ન્યુજ ઇન્ડિયા ના મીડિયા સાથે  સ્થાનિક ધારાસભ્ય સાથે વાત ચિત કરતા જણાવ્યું હતું કે જ્યાં સુધી ખેડૂતો ને યોગ્ય ન્યાય કે યોગ્ય વળતર નહિ મળે તો પ્રતિક ઉપવાસ સાથે ધરના પર કરવામાં આવશે તેમ કહ્યું હતું .. તદ્દ ઉપરાંત ખેડૂતો એ વાતચીત જણાવ્યું હતું કે આ જેટકો કંપની પોલીસ ને સાથે રાખી અમને અમારા ઉપર દાદાગીરી કરી અમારા પર દમણ કરે છે. ધરણા ઉપર વાવ થરાદ ના ધારા સભ્યો બેસતા જેટકો ના અધિકારીઓ તત્કાલીન વાવ મામલદાર કચેરી એ ધસી આવ્યા હતા .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *