બનાસકાંઠાના ભાભર ખાતે આમ આદમી પાર્ટી દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો.

દિવાળી બાદ શરૂ થતાં નવા વર્ષ નિમિત્તે ગત રોજ તા-૧૧/૧૧/૨૦૨૧ ના રોજ વાવ વિધાન સભા આમ આદમી પાર્ટી નું ભાભર ખાતે સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પાર્ટી માં નવા જોડાયેલા કાર્યકરો ને નિમણૂક પત્રક આપવા માં આવ્યા તે પ્રસંગે ભાભર પ્રભારીશ્રી વશરામભાઇ પ્રજાપતિ વાવ પ્રભારીશ્રી હરજીભાઈ ચૌધરી સુઈગામ પ્રભારી શ્રી ભુરાભાઈ ગોહિલ સુરેશભાઈ ચૌધરી, વાવ પ્રમુખ શ્રી કે કે રાજપુત સુઈગામ કાર્યકારી પ્રમુખ આઈ એલ સોઢા ભાભર પ્રમુખ શ્રી છગનજી ઠાકોર ભાભર શહેર પ્રમુખ શ્રી કિર્તીભાઇ માળી, ડો ભીમજીભાઈ ચૌધરી ,ભુપતસિહ દરબાર તમામ હોદ્દેદારો કાર્યકરો હાજર રહી પાર્ટી ને લગતી અને સંગઠન મજબૂત કરવા માટે ની તમામ ને જવાબદારી આપવામાં આવી. સ્નેહમિલન કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો હોદ્દેદારો કાર્યકર્તાઓ દ્વારા ખભેખભા મિલાવી આવનારી 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં મજબુત બનાવવા કટીબદ્ધતા દાખવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *