પાલનપુર ખાતે રાષ્ટ્રભક્તિને અનોખી રીતે રજૂ કરતો મેગા મ્યુઝિકલ ડ્રામા ‘વીરાંજલિ કાર્યક્રમ યોજાયો

પાલનપુર ખાતે રાષ્ટ્રભક્તિને અનોખી રીતે રજૂ કરતો મેગા મ્યુઝિકલ ડ્રામા ‘વીરાંજલિ કાર્યક્રમ યોજાયો દેશની આઝાદી માટે શહીદ થનારા શહીદોને યાદ કરવાનો અને તેમને અંજલિ આપવાનો અમૂલ્ય અવસર વીરાંજલિ છે- શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા સાંઈરામ દવે તથા રંગમંચના આશરે ૧૦૦ થી વધુ કલાકારો દ્વારા ’મલ્ટી મીડિયા શો’ દ્વારા અદભૂત પ્રસ્તુતિને પાલનપુરવાસીઓએ તાળીઓના નાદથી વધાવી લીધી રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજીત ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત આઝાદીનો રક્તનિતરતો હ્રદયસ્પર્શી ઇતિહાસ રજૂ કરતો ‘માં’ ભારતીના પ્યારા ક્રાંતિવીરોની સહાદતને નમન કરવાનો પૂણ્ય અવસર આપતો એક ભવ્ય મલ્ટીમીડિયા શો ’વીરાંજલિ’ આજે સાંજે પાલનપુર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા, લોકસભા સાંસદશ્રી પરબતભાઇ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, પ્રદીપસિંહ વાઘેલા પ્રેરિત વીરાંજલિ સમિતિ દ્વારા ક્રાંતિવીરોની રક્ત નીતરતી ગાથા એક ભવ્યાતિભવ્ય ’મલ્ટીમીડિયા શો’ દ્વારા પાલનપુર શહેરમાં પ્રથમવાર યોજાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *