સોયલા ગામે પાણી માં ગરકાવ થયેલી મહિલા ની ડેડબોડી ૨૪ કલાક બાદ તરી ને બહાર આવી

 બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના સોયલા પંથકમાં ધોધમાર વરસાદ વરસતા કાંકરેજ તાલુકાના કાકોર ગામના વતની તારાબેન કનુભાઈ ફુલવાદી ઉંમર વર્ષ 35 જેવો સોયલા ગામે છૂટક મજૂરી કરી ગુજરાત ચલાવતા હતા જે વરસાદમાં પાણીનો પ્રવાહ ક્રોસ કરવા જતા પાણીમાં ઘરકાવ થઈ હતી ત્યારે ગામલોકો અને સરપંચ નારણ ભાઈ દ્વારા નાયબ કલેકટર મામલતદાર. ટી.ડી.ઓ.ભીલડી પી.એસ.આઈ આર.જે ચૌધરી રેવન્યું તલાટી. સોયલા તલાટી.કો.ઓ સોયલા અને પત્રકારો.ગામ આગેવાનો દ્વારા તંત્ર ને જાણ કરવામાં આવી હતી અને તંત્ર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી અને સોયલા તલાટી હડતાળ પર હોવા છતાં હાજરી આપી એક માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું ત્યારે ભારે જહેમત ઉઠાવી તેમ શતા લાશ મળી નહોતી અને ફરીથી તંત્ર દ્વારા બીજા દિવસે ફરીથી શોધખોળ આદરી હતી અને લાશ ના મળતા આખરે ત્યારે ૨૪ કલાક બાદ આપમેળે લાશ પાણીમાં બહાર તરી આવતા લોકો દ્વારા ટીમની જાણ કરતા તરવૈયા ટીમ દ્વારા બહાર કાઢવામાં આવી હતી અને સરપંચ નારણભાઈ જોષી દ્વારા તંત્ર ને જાણ કરતા તંત્રએ રાહત નો શ્વાસ લીધો હતો અને ગરીબ કુટુંબ પર આભ ફાટી પડ્યું હતું અને ભીલડી પોલીસ દ્વારા લાશ ને ભીલડી સી.એચ. સી માં પી.એમ કરાવી લાશ ને વાલી વારસો ને સોંપી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *