વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. PM નરેન્દ્ર મોદીએ રાજકોટના આટકોટમાં આવેલી કે.ડી. પરવાડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ પહેલા એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ ઉપસ્થિત રહેશે પરંતુ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા ન હતા. થોડા સમય પહેલાં એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે, નરેશ પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તો ભાજપમાં જોડાઇ શકે છે પરંતુ નરેશ પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત ન રહેતા નરેશ પટેલ ભાજપમાં જોડાય છે તે અટકળોનો અંત આવ્યો છે.
મહત્વની વાત છે કે, હોસ્પિટલનું નિર્માણ કરનાર અને ભાજપના અગ્રણી એવા ડૉક્ટર ભરત બોઘરા દ્વારા નરેશ પટેલને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. ડૉક્ટર ભરત બોઘરા નરેશ પટેલને આમંત્રણ આપતા ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે, આ કાર્યક્રમમાં નરેશ પટેલ ભાજપમાં જોડાય છે પરંતુ નરેશ પટેલ આ કાર્યક્રમમાં હાજર રહ્યા નહીં. તો એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે.
આ મહિનાના અંતમાં નરેશ પટેલ રાજકારણમાં જોડાય છે કે, નહીં તે બાબતે જાહેરાત કરશે અને આવી ચર્ચાઓને લઈને સૌરાષ્ટ્ર સહિત રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે કારણ કે, છેલ્લા કેટલાક સમયથી ચર્ચાઓ ચાલી રહી છે. નરેશ પટેલ રાજકારણમાં જોડાશે તેવી ચર્ચાઓ વચ્ચે ચાલી હતી કે, નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ શકે છે પરંતુ તે સમયે નરેશ પટેલે એ પ્રકારનું નિવેદન આપ્યું હતું કે, સમાજ કહેશે તે રીતે તેઓ રાજકારણમાં જોડાશે તેવું તેમણે જણાવ્યું હતું અને ત્યારબાદ હવે સૌ કોઈ લોકોની નજર એક જ વાત પર છે કે, નરેશ પટેલ કયા રાજકીય પક્ષની સાથે જોડાય છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આટકોટ ખાતે કે.ડી. પરવાડીયા મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું અને હોસ્પિટલના નિર્માતા અને ભાજપના ઉપાધ્યક્ષ ડૉક્ટર ભરત બોઘરાની પીઠ થાબડી હતી. આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાની પણ સ્થિતિ જોવા મળી હતી