થરાદમાં ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા મોસાળે મૂકવામાં આવ્યા હતા.આદેશ નગર માં ભગવાન જગન્નાથનું સુવર્ણકાર (સોની) એસોસિયેશન થરાદ દ્વારા રૂ.2100. રોકડા નું મામેરુ ભરવામાં આવ્યું હતું..તેમજ સોના ચાંદીના ઘરેણા કપડાં સહિત 42 હજાર રૂપિયાનું ભગવાન જગન્નાથનું મામેરુ ભરવામાં આવ્યું હતું.તેમજ માંમેરામાં આવેલા આગેવાનો દ્વારા ભગવાન જગન્નાથને ૩૧ હજાર રૂપિયા મામેરામાં ચાંદલો કરવામાં આવ્યોભગવાન જગન્નાથનું કુલ મામેરુ 73 હજાર રૂપિયાનું ભરાયું હતું.આદેશ નગર થી ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ભગવાન જગન્નાથને પરત થરાદ ના નવા રામજી મંદિર ખાતે લાવવામાં આવ્યા હતાંનવા રામદેવ મંદિર ખાતે ભગવાન જગન્નાથની ભવ્ય આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ રામ સેવા સમિતિ દ્વારા ભગવાન જગન્નાથનો પ્રસાદ દરેક ભક્તોને આપવામાં આવ્યો હતો..