હિન્દુઓને મળી રહેલ ધમકીને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દૂ હેલ્પ લાઇન શરૂ કરવામાં આવશે

હિન્દુઓને મળી રહેલ ધમકીને લઈને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દૂ હેલ્પ લાઇન શરૂ કરવામાં આવશે દેશભરમાં અત્યારે નૂપુર શર્માના વિવાદિત નિવેદબ બાદ હત્યા તથા ધમકી મળવાનો સીલસીલો શરૂ થયો છે જેને ધ્યાનમાં રાખીને વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ દ્વારા હિંદુઓ માટે હિન્દૂ હેલ્પ લાઇન જાહેર કરવામાં આવી છે.રાજ્યના 3 શહેરોમાં આ હેલ્પ લાઇન ચાલશે. વિશ્વ હિન્દુ પરિષદના ક્ષેત્રીય મંત્રી અશોક રાવલે જણાવ્યું હતું કે દેશભરમાં જેહાદી લોકો દ્વારા હિન્દુઓને ધમકી આપવામાં આવી રહી છે.આ ધમકીને લઈને અત્યાર સુધી બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ હિંદુઓની સાથે તો હતા જ પરંતુ હવે લોકો માટે હેલ્પ લાઇન શરૂ કરી છે.જે કોઈ હિન્દૂ ભાઈ બહેનને ધમકી મળે કે અન્ય રીતે કનડગત થાય તર માટે હેલ્પલાઇન શરૂ કરી કાયદાકીય અને આર્થિક મદદ કરવામાં આવશે.રાજ્યમાં ઉત્તર ગુજરાત ,દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રાંત માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે.24 કલાક હેલ્પલાઇન ચાલુ રહેશે.ઉત્તર ગુજરાત પ્રાંતનો નંબર- 8735873595, સૌરાષ્ટ્માં- 777795774,9879014841 અને દક્ષિણ ગુજરાત પ્રાંતનો નંબર – 9426363324 છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *