ગયા અઠવાડિયે શરૂ થયેલી અમરનાથ યાત્રાને પ્રતિકૂળ હવામાન વચ્ચે આજે સવારે પહેલગામ રૂટ પર અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી હતી. વાર્ષિક 43-દિવસીય તીર્થયાત્રા બે બેઝ કેમ્પ – દક્ષિણ કાશ્મીરના અનંતનાગના પહેલગામમાં નુનવાન અને મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં બાલટાલ કેમ્પમાં યોજાય છે.પહલગામના નુનવાન બેઝ કેમ્પમાં મંગળવારે સવારે લગભગ 3,000 યાત્રાળુઓને રોકવામાં આવ્યા હતા, અધિકારીઓએ જણાવ્યું હતું. લગભગ 4,000 તીર્થયાત્રીઓનો બીજો સમૂહ, જે જમ્મુથી પહેલગામ રૂટ માટે રવાના થયો હતો, તેને રામબન જિલ્લાના ચંદ્રકોટ ખાતેના યાત્રી નિવાસમાં રોકવામાં આવ્યો હતો. પહેલગામ જમ્મુ અને કાશ્મીરની રાજધાની શ્રીનગરથી લગભગ 90 કિમી દૂર છે.જો કે, જમ્મુથી બાલતાલ રૂટ માટે રવાના થયેલા લગભગ 2,000 શ્રદ્ધાળુઓને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી હતી. 30 જૂનથી, 72,000 થી વધુ શ્રદ્ધાળુઓએ અમરનાથ ગુફામાં પૂજા કરી છે, જે રક્ષાબંધનના અવસર પર 11 ઓગસ્ટના રોજ આ યાત્રાનું સમાપન થતું હોય છે.પ્રશાસનિક અધિકારીઓનું કહેવું છે કે કાશ્મીર ઘાટીમાં રાતથી વરસાદ ચાલુ છે. વરસાદને કારણે પહેલગામ અને બાલતાલ રોડ પર ભૂસ્ખલનની સંભાવના છે. શ્રી અમરનાથની પવિત્ર ગુફા પાસે પણ હવામાન સાફ નથી. એવામાં શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યાત્રા મોકૂફ રાખવામાં આવી છે. શિબિરોમાં શ્રદ્ધાળુઓ માટે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. હવામાન સાફ થતાં જ યાત્રા ફરી શરૂ કરવામાં આવશે.