વાવ : ગોસ્વામી દીકરી ને ન્યાય આપવા આવેદન પત્ર પાઠવવામાં આવ્યું

ગીર સોમનાથ જીલ્લા ના કોડીનાર તાલુકા જાત્રખાડી ગામેં આઠ વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ કરી હત્યા કરવામાં આવતા ગોસ્વામી સમાજ માં રોષ ભભૂકી ઉઠયો હતો જેને પગલે આજ રોજ વાવ મામલદાર કે.એચ  .વાઘેલા ને આવેદન આપી આરોપીને કડકમાં કડક સજા થાય તે માટે વાવ થરાદ ભાભર સુઈગામ દશનામ ગોસ્વામી સમાજ દ્વારા આવેદનપત્ર આપી બેનર અને સુત્રોચાર સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં દશનામ ગોસ્વામી સમાજ ના અગ્રણી ઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તા. – ૧૨/૦૬/૨૦૨૨ ના રોજ હત્યા કરી દેવામાં આવી જેના પગલે અમારા તમામ ભારતીય સંત સમાજમાં ખુબ આક્રોશ છે.ત્યાંની પોલીસ દ્વારા માત્ર ૪ (ચાર) કલાકમાં આરોપીને પકડી પાડેલ છે. પોલીસ તથા પ્રસાશન દ્વરા અમારા મતે સંતોષકારક કામગીરી કરવામાં આવી છે પરંતુ અમારી માંગ માત્ર એટલી જ છે કે આ કેસ ફાસ્ટૈક કોર્ટ માં ચલાવવામાં આવે અને આરોપીને જડપથી ફાંસીની સજા થાય તોજ આ દિકરીના આત્માને સાચી શ્રધાંજલી આપી ગણાશે તેમ જણાવ્યું હતું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *