બનાસકાંઠા હાલોલ પુના હેદ્રાબાદ તેમજ ડીસા જીનવાણી પરિવાર જૈન યુવા સંગઠન દ્વારા માનવ સેવા, જીવદયા અને વિહાર સેવા ના કાર્યો સતત ચાલુ છે તેમજ દર રવિવારે માનવ સેવા નુ કાર્યો ચાલુ છે આજ રોજ ડીસા જલારામ મંદિર પાસે જરૂરત મંદો માટે સવારે અલ્પાઆહાર ની વ્યવસ્થા કરવા મા આવી હતી આ કાર્ય ના લાભર્થી સ્વ – સંઘવી ડાયાલાલજી છોગાજી ભણસાળી પરિવાર હસ્તે – કાળિદાસજી ભણશાળી તેઓ એ પણ પધારીને માનવ સેવા ના કાર્યો નો અનમોલ લાભ લીધો હતો અને જીનવાણી પરિવાર જૈન યુવા સંગઠન ના સભ્ય મહાવિર કુમાર ભિખાલાલ શાહે જણાવ્યું હતું કે આવનારા સમય માં અમારૂ સંગઠન જીનવાણી પરીવાર જૈન યુવા સંગઠન જીનેશ્વરદેવ ની આગ્ના માં રહી વિહાર સેવા માનવસેવા અને જીવદયા ના વગેરે કાર્યો કરતુ રહેશે ભડથ જૈન સમાજ ના અગ્રણી મુકેશ ભાઇ શાહે વઘુ માં જણાવ્યું હતું કે જીનવાણી યુવા સંગઠન ઝેરડા અને ડીસા ના કાર્યકરો વિહાર સેવા માનવસેવા અને જીવદયા ના કાર્યો માં બહુ સુંદર સેવા આપી આપી રહ્યા છે