વાવ તાલુકાનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા શ્રી ધરણીધર ભગવાનનાં દર્શન કરી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા આગામી 2022ની ચૂંટણીઓમાં ગુજરાતમાં મુખ્યમંત્રી ઠાકોર સમાજનો હોવો જોઈએ. તો વળી ચાર દિવસની વિજય સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.મોટી સંખ્યામાં ઠાકોર સમાજનાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં.

આ અંગે નવઘણજી ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં સોનાનો સૂરજ ઉગાડવો છે.સોનાનો સૂરજ એટલે ગુજરાતનો મુખ્યમંત્રી ઠાકોર અને સંપૂર્ણ ઓબીસી લ,એસટી,એસસી સમાજનો આગામી દિવસોમાં ગુજરાતમાં તમારે રાજ કરવું હોય અને અમારા મત જોઈતા હોય તો મુખ્યમંત્રી અમારી સમાજનો જ હોવો જોઈએ.અને સંપૂર્ણ સરકાર અમારી ઓબીસી, એસટી,અને એસસીની હોવી જોઈએ.સતા માટે અમો પટ્ટા ખેલવા પડે તો પણ ખેલશું.તો વળી ભાજપ અને કોંગ્રેસ બન્નેને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું.આગામી દિવસોમાં ગુજરાતનાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરવાની વાત કરી હતી.
વિજય સંકલ્પ યાત્રાનો યાત્રાધામ ઢીમાધામથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.નવઘણજી ઠાકોરે ઢીમા શ્રી ધરણીધર ભગવાન મંદિરમાં ગેનીબેન ઠાકોરની હાજરીમાં કર્યો સંકલ્પ કર્યો હતો કે ક્ષત્રિય સમાજનો મુખ્યમંત્રી બનશે તો હું ગેનીબેન ઠાકોર અને નરશીભાઇ હેલિકોપટ્ટર લઇને ઢીમાં દર્શન કરવા આવીશું એવું નવઘનજી ઠાકોરે જણાવ્યું હતું.2022માં ઢીમાનો ધણી સોનાનો સુરજ ઉઘાડશે તો અમે હેલિકોપટર લઈને ઢીમામાં દર્શન માટે આવીશું.વિજય સંકલ્પ યાત્રાનો ઢીમાંથી પ્રારંભ, નવઘનજી ઠાકોર સાથે વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ જોડાયા હતા.