ડીસા તાલુકાના ભીલડી નજીક આવેલ રતનપુરા ગામ માં ભેદભાવની ઘટના સામે આવી છે જેમાં વર્ષોથી ગામમાં વસવાટ કરતા દલિત પરિવાર સાથે ગામમાં ભેદભાવ થતો હોવાના દલિત પરિવારો ગંભીર આક્ષેપો લગાવ્યા છે. દલિત પરિવારોને સરકારી યોજનાઓમાં ફોર્મ ભર્યા પણ તલાટી કમ મંત્રી ફોર્મમાં સહી સિક્કા ન કરતો હોવાની બુમરાડ સાથે આજે દલિત પરિવારો એ ડીસા તાલુકા પંચાયત ખાતે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા જેમાં જણાવ્યું હતું કે અમે રતનપુરા ગામે આવેલ પોતાની જમીનમાં વર્ષોથી મજૂરી કરીને પરિવાર સાથે વસવાટ કરીએ છીએ અને તમામ સરકારી ડોક્યુમેન્ટ તેમજ આધાર પુરાવા સાથે આ ગામના હોવાના રજુઆત કરવામાં આવી હતી જેમાં અમારા બાળકોને શિષ્યવૃત્તિ તેમજ એડમિશન માટે સરકારી ફોર્મમાં તલાટી સિક્કા ન કરતા હોવાની રજૂઆત સાથે તમામ દલિત સમાજ પરિવારના લોકો મોટી સંખ્યામાં ડીસા તાલુકા વિકાસ અધિકારીની કચેરી ખાતે દોડી આવીને લેખિતમાં રજૂઆત કરીને સરકાર સત્વરે આવા તલાટી ઓ સામે સિક્ષાત્મક પગલા ભરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે