બનાસકાંઠા ના સુઈગામ તાલુકા માં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે જેમાં કાંણોઠી ગામના પ્લોટ વિસ્તારમાં જોષી ગોવિંદભાઈ જેતસીભાઈ ખેતરની વાડ માં આગ લાગતા અંદાજીત 200 મીટરથી વધારે વિસ્તારમાં આગ ફેલાયેલ હતી.જેને લઈને આજુબાજુ ના લોકો એ આગ ના ધુમાડા ને જોઈ થરાદ નગરપાલિકા ના ફાયર મેન નો સંપર્ક કરતા ફાયર ફાયટર ની ટીમ ધટના સ્થળે આવી પહોચી આગ પર કાબુ મેળવ્યો હતો જો કે આગ લાગવાનું કારણ થાંભલા પર થતા સોટ સર્કિટ થી આગ લાગ્યા હોવાનું પ્રાથમિક તપાસ માં જાણવા મળ્યું હતું વધુ માં આગ ના બનાવ માં કોઈ જાનહાનિ થયેલ નથી..