શિક્ષણ મંત્રી કિર્તીસિંહ વાઘેલા એ ભારત ની પહેલી સૌથી મોટી પાકી ખેત તલાવડી ની મુલાકાત લીધી

બનાસકાંઠા જીલ્લા ના ડીસા તાલુકા ના શેરપુરામા શિક્ષક ખેડૂત અણદાભાઈ જાટ દ્વારા બનાવેલી ભારતની પહેલી સૌથી મોટી પાકી ખેત તલાવડી ની મુલાકાતે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી એવા કિર્તીસિંહ વાઘેલા એ શુભેચ્છા મુલાકાત લીધી હતી.જેમાં મંત્રી  ખેત તલાવડી જોઈ ખૂબ પ્રભાવિત થયા અને આવનારા સમયમાં વધુમાં વધુ લોકો ખેત તલાવડી બનાવે તેવા પ્રયત્નો કરવાની વાત પણ કરી…જો બનાસની ધરતીને બંજર થતી અટકાવી હસે તો આવનારા સમયમાં ખેત તલાવડી અને બોર રિચાર્જ સિવાય કોઈ વિકલ્પ નથી એવી વાત પણ મંત્રીશ્રીએ કરી.કિર્તીસિંહ વાઘેલા સાહેબ ની સાથે પ્રવીણભાઈ માળી, જોરાપુરા ના સરપંચ પ્રકાશભાઈ ઠાકોર, તાલુકા પંચાયત સભ્ય કાશીરામ સુથાર અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *