આજ રોજ પાલનપુર તાલુકાના બાજોઠીયા મહાદેવ ના મંદિર ખાતે પ્રોફેશનલ પ્રેસ યુનિટી ની સાધારણ સભા યોજાઇ હતી. જેમાં બાજોઠીયા મહાદેવ મંદીર ના મહંત જયરામગિરી તેમજ યુનિટી ના સભ્યો મોટી સંખ્યા ઉપસ્થિત રહ્યા હતા. આ સાધારણ સભા માં પત્રકાર મિત્રો ને લગતા અનેક સવાલો નું નિરાકરણ કરવામાં આવ્યુ હતુ. પ્રોફેશનલ પ્રેસ યુનિટી ના પ્રમુખ દશરથસિંહ સોલંકી ને યનિટી તરફ થી સિંહ ની મોમેન્ટ આપી તેમજ સાલ અને ફુલહાર થી સન્માન કરવામાં આવ્યુ હતુ. અને યુનિટી તરફ યુનિટી માં દરેક સભ્યો નુ સાલ તેમજ ફુલહાર થી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. પત્રકાર એ દેશ ની ચોથી જાગીર કેવાય છે પત્રકાર ઉપર થતા અન્યાય તેમજ અત્યાચાર ના બનાવમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે પત્રકારો માં પણ હવે જાગૃતતા જોવા મળી રહી છે. ત્યારે ઉત્તર ગુજરાત ની જાણીતી પ્રોફેશનલ પ્રેસ યુનિટી પણ હવે પત્રકારો ઉપર થતા અત્યાચાર ને અટકાવવા આગળ આવી રહી છે. પ્રોફેશનલ પ્રેસ યુનિટી ના પ્રમુખ શ્રી દશરથસિંહ સોલંકી તરફ થી ૫૧૦૦૦ હજાર યુનિટી ને દાન જાહેર કરવામાં આવ્યુ હતુ. અને યુનિટી ના ૧૦૦ કરતા વધારે સભ્યો ને અકસ્માત વિમો પ્રમુખ તરફ થી ઉતારી આપવામાં આવ્યો. પ્રોફેશનલ પ્રેસ યુનિટી દ્વારા અવાર નવાર જનતાલક્ષી અને જનતા ના સળગતા પ્રશ્નો ને લઇ તેનુ નિરાકરણ કરવા નો હેતુ રહ્યો છે. આ યુનિટી ને જન્મ જાતી કે ધર્મ નો કોઇ પણ જાતનો ભેદભાવ કે દ્રેસભાવ વગર લોકો ના હિત માં હંમેશા અગ્રેશર રહી છે.
