ધાનેરાની ગૌશાળામાં સામાન્ય ગૌ-હોસ્પિટલ ચાલી રહી હતી જેમાં અબોલ પશુઓની સેવા કરવી ખૂબ જ મુશ્કેલ બનતી હતી ત્યારે ધાનેરાના સેવંતીલાલ જશકરણભાઈ અજબાણી પરિવાર દ્વારા ધાનેરાની ગૌશાળાને ગૌ હોસ્પિટલ ભેટમાં આપી હતી અને તેનું કામ આજે પૂર્ણ થતા આજે જૈન ગુરુ લેખેન્દ્ર સૂરિ મહારાજની ઉપસ્થિતિમાં શુભારંભ કરવામાં આવ્યો હતો અને અબોલ પશુઓની સેવા માટે હોસ્પિટલ ને ખુલ્લી મુકવામાં આવી હતી ત્યારે આજ ના આ કાર્યક્રમમાં જૈન ગુરુ લેખેન્દ્ર સૂરિ મહારાજ તેમજ ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલ વસંતભાઈ પુરોહિત મોટી સંખ્યામાં જૈન ભાઈઓ અને ધાનેરા વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા