ગુજરાત માં ધોરણ ૧૨ નું સમાન્ય પ્રવાહ નું રિજલ્ટ ૪ જુન એટલે કે આજ ના દિવસે જાહેર કરવામાં આવ્યું છે .જેમાં બનાસકાંઠા ના સરહદી વાવ થરાદ અને સુઈગામ માં શ્રી મહેતા એન એસ વિંનય મંદિર વાવ ના વિદ્યાર્થી નો દબદબો જોવા મળ્યો જેમાં કુલ ૧૮૫ વિધાર્થી પૈકી ૧૮૨ વિધાથીઓ પાસ થયા છે જેમાં ૩ વિદ્યાર્થી ઓ એક – એક વિષય માં નાપાસ થયેલ છે.ઉલ્લેખનીય છે માર્ચ ૨૦૨૨ માં આપેલ પરિક્ષા માં છોકરાઓ કરતા છોકરી એ પરિણામ વધુ આવ્યું છે જેમાં શાળા ના પ્રથમ ક્રમ થી લઈને ચોથા કર્મ સુધી આ વર્ષે છોકરીઓ બાજી મારી છે .જેથી શાળા ના આચાર્ય હઠાભાઈ વેઝીયા એ શાળા ના છોકરા છોકરીઓ ને હાર્દિક શુભકામનાઓ પાઠવી છે.શાળા ના રિજલ્ટ આવતા ની સાથે વાલી ઓ દ્વારા શાળા પરિવાર તેમજ શિક્ષકો ને શુભેચ્છા પાઠવી હતી .