સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હત્યા અને આત્મહત્યાના બનાવોમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લો એ વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે જેના કારણે બનાસકાંઠા જિલ્લામાં દિવસેને દિવસે ગુનાહિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ખાસ કરીને હાલમાં બનાસકાંઠા જિલ્લામાં હત્યા અને આત્મહત્યા જેવા ગંભીર ગુના હિત ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે જેમાં લોકો આજે નજીવી બાબતમાં હત્યાને આત્મહત્યાના કરી રહ્યા છે જેના કારણે સતત વધી રહેલા ગુનાહિત ઘટનાઓનાં પગલે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે બનાસકાંઠા જિલ્લામાં ક્રાઈમ ની ઘટના દિન-પ્રતિદિન વધી રહી છે ડીસા શહેરમાં આવેલા નહેરુનગર ટેકરા વિસ્તારમાં રહેતા નવીન ઉર્ફે બાબુભાઈ માજીરાણા ની સરકારી આવાસ યોજના દિલ ની બાજુમાં નીચાણવાળા ભાગમાં થી હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા યુવકની હત્યા થતાં પરિવાર માતમ છવાયો હતો પરિવારોએ પોતાના પુત્રની હત્યા થઇ હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે મૃતક યુવક નવીન ઉર્ફે નનિકો બાબુભાઈ માજીરાણા ના માથાના ભાગે તિક્ષ્ણ હથિયાર વડે ઘા મારી કરપીણ હત્યા કરવામાં આવી છે ઘટનાના પગલે પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકની લાશને ડીસા સિવિલ પીએમ અર્થે ખસેડી મૃતક યુવકના હત્યારાઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે…