ગાયમાતા એ સનાતન હિન્દુ ધર્મનું આસ્થાનું પ્રતિક છે . ગાયમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણી સાથે દ્વારકાના અર્જુનભાઈ આંબલીયા ગત તા .19 જાન્યુ . 2021 થી દિલ્હી જંતર મંતર ખાતે શાંતિપૂર્વક અનિશ્ચીત મુદતના ધરણા કરી રહ્યા છે . જેમાં ગાયમાતાને રાષ્ટ્રીય સન્માન આપવાની માંગ સાથે આજે શહેરની વિવિધ સંસ્થાઓના કાર્યકરો જીલ્લા કલેકટર કચેરી ખાતે ઉમટી પડી આ મામલે રજુઆત કરી હતી તેમજ તેની સાથોસાથ આજથી મવડી ચોકડી ખાતે નિલેશભાઈ આહીર દ્વારા આજથી મવડીચોકડી ખાતે અનિશ્ચીત મુદતના ધરણા શરુ કરવામાં આવેલ છે . શહેરના બાલાજી મિત્ર મંડળ કનૈયા ગ્રુપ બેડીપરા આહિર એકતા મંચ , ગૌસેવા મંડળ , હિન્દુ સ્વરાજ ગ્રુપ , જયશ્રીરામ સેના સંગઠન , બડા બજરંગ મિત્ર મંડળ , ભગવા સ્વયંસેવક સંઘ , બાબા ગ્રુપ ( રૈયાગામ ) સહિતની વિવિધ સંસ્થાઓના કાર્યકરો અને હોદેદારોએ આજે જીલ્લા કલેકટર તંત્રને આવેદનપત્ર સુપ્રત કરી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગણી ઉઠાવી હતી . જેમાં કાના કુબાવત નામના કાર્યકરે સાધુ વેશે કલેકટર કચેરી ખાતે ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજજો આપવાની માંગ સાથે ભીખ માંગતો આશ્ચર્યજનક કાર્યક્રમ આપેલ હતો . આ કાર્યકરોએ આ સંદર્ભે જણાવ્યું હતું કે દ્વારકામાં અર્જુનભાઈ આંબલીયા ગાયમાતાને રાષ્ટ્રીય સન્માન આપવાના મુદે 11 જાન્યુ . 2021 થી ધરણા આંદોલન દિલ્હી જંતર મંતર ખાતે કરી રહ્યા છે . તેમના સમર્થનમાં આજે ફરી જિલ્લા કલેકટર તંત્રને આ બાબતે રજુઆત કરવામાં આવી છે.તેમજ આ અંગે નિલેશભાઈ આહિર દ્વારા આજથી મવડી ચોકડી ખાતે અનિશ્ચીત મુદતનું ધરણા આંદોલન શરુ કરવામાં આવેલ છે . તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ગાયમાતાને રાષ્ટ્રમાતા બનાવવા માટે 2014 માં વચન આપવામાં આવેલ હતું જે પૂર્ણ કરવા માટે સરકાર દ્વારા તત્કાલ પગલા લેવામાં આવે તે આવશ્યક છે .