ભાજપ દ્વારા વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલાં બીજેપી તમામ સમાજને સાધવાની તૈયારીઓ કરી રહી છે. દલિત સમાજ ને સાધવા માટે દલિત મહાસંમેલનનું આયોજન કરવામાં આવશે. જૂન મહિનાની અંદર વડોદરા ની અંદર સંમેલન યોજવામાં આવશે. એસસી, એસટી, ઓબીસીને ભાજપ તરફ કરવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દલિત સમાજ એ કોંગ્રેસની પરંપરાગત વોટબેંક માનવામાં આવે છે. ત્યારે ભાજપે આ કવાયત હાથ ધરી છે કોંગ્રેસની પરંપરાગત વોટબેંક ને તોડવા માટે આ સંમેલન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે વિજય વિશ્વાસ સંમેલન નામથી આ કાર્યક્રમ વડોદરાની અંદર જૂન માસમાં યોજવામાં આવશે. દલિત સમુદાયનું સંમેલન યોજવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી તમામ સમાજને એક સાથે આગળ વધવા માંગે આવવા માંગે છે. ત્યારે પરંપરાગત કોંગ્રેસની જે સીટો છે તેના પર ભારતીય જનતા પાર્ટી પણ તરાપ મારી રહી છે અને આગામી સમયમાં દલિત સમુદાયના આકર્ષવા માટે કોંગ્રેસ ની વોટ બેંક રહી છે ત્યારે તેને ભાજપ તરફ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. જેને લઇને દલિત મહાસંમેલનનું આયોજન વડોદરા ની અંદર કરવામાં આવી રહ્યું છે અને આ પ્રકારના વિવિધ સમુદાયોને ભાજપ તરફ કેવી રીતે જોડવા તેને લઈને પણ ભાજપ દ્વારા કમર કસવામાં આવી રહી છે. આ પહેલા ચિંતન શિબિરનું આયોજન કરવામાં અને ત્યારબાદ કારોબારી બેઠક યોજાઇ હતી જેમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.