કોંગ્રેસના નેતા નવજોત સિદ્ધુને સુપ્રીમ કોર્ટે એક વર્ષની સજા ફટકારી, આજે સરેન્ડર

34 વર્ષ જૂના રેજ કેસની અંદર નવજોતસિંહ સિદ્ધુને એક વર્ષની સજા કોર્ટ દ્વારા ફટકારવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ સજા ફટકારી છે. નવજોત સિંહ સિદ્ધુ આજે સરેન્ડર કરશે. અગાઉ સર્વોચ્ચ અદાલતે તેમને નિર્દોષ મુક્ત કરી માત્ર 1000 દંડ કર્યો હતો. પરંતુ કરવામાં આવેલી રીવ્યૂ પિટીશન બાદ સજા એક વર્ષની કેદની કરવામાં આવી છે.1988 ના સમયનો રોડ રેજનો આ મામલો છે. જેમાં સિદ્ધુના મારના કારણે રોડ પર જ એક વૃદ્ધનું મોત થયું હતું. કલમ 323 હેઠળ સિદ્ધુ સામે કેસ નોંધાયો હતો. જેમાં જોગવાઈ અનુસાર એક વર્ષની સજા કરવામાં આવી છે. આજે પંજાબ પોલીસ નવજોત સિદ્ધુને કસ્ટડીમાં લેશે.

સમગ્ર મામલો 1988નો છે જ્યારે સિદ્ધુ તેના મિત્રની સાથે પટિયાલા શેરાવાલા ગેટ માર્કેટ પહોંચ્યા હતા જ્યાં પાર્કિંગ મામલે બોલાચાલી થતા 65 વર્ષીય વૃદ્ધને ઘૂંટણથી સિદ્ધુએ પાડી દીધા હતા, ત્યારે વૃદ્ધને હોસ્પિટલ લઈ જવા પડ્યા હતા જેમાં હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું હતું પરંતુ સદોષ હત્યાનો કેસ દાખલ થયો હતો સેશન્શ કોર્ટે કેસ ફગાવી દીધો હતો, હાઈકોર્ટે 3 વર્ષની સજા સંભળાવી હતી ત્યાર બાદ ફરી આ કેસ સુપ્રીમકોર્ટમા ચાલ્યો હતો અને કેસ અરુણ જેટલીએ લડ્યો હતો. જેમાં દોષિત ના ઠેરવતા માત્ર દંડ થયો હતો પરંતુ ફરીથી રીવ્યૂ પિટીશન પંજાબ સરકાર દ્વારા કરાતા એક વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *