માંડલ કુંડી થી રામપુરા(વા) જવાનાં રોડપર નાળું ચોમાસાં પહેલાં ખુલ્લું કરાવવા લોકોની માંગ

માંડલ કુંડી ગામથી રામપુરા જવાના માર્ગ ઉપર દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે અહીંના રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે .જે બાબતની તંત્રને જાણ હોવા છતાં થતાં તંત્ર દ્વારા અહીં નવીન રોડની નીચે ગરનાળું મુકી પાણીના નિકાલ ની વ્યવસ્થા કરવામાં આવી નથીનીચેના ભાગમાં રહેતા લોકો ચોમાસામાં ગમેત્યારે વરસાદી પાણી ભરાવાથી ડરના માહોલ વચ્ચે જીવી રહ્યા છે.આ ગરનાળું ખુલ્લું કરાવવા માટે ધાનેરાના સ્થાનિક તંત્ર ને અનેક વખત અરજી અને રજુઆતો કરવા છતાં હજુસુધી કોઈજ કાર્યવાહી કરવામાં આવી નથી.જો આ ગરનાળું ખુલ્લું કરાવવામાં નહીં આવે તો ચોમાસામાં રોડની બાજુમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ભરાવાથી તકલીફ નો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે.તેથી સ્થાનિક તંત્ર આ બાબતે યોગ્ય કાર્યવાહી કરી ગરનાળું ખુલ્લું કરાવે તેવી સ્થાનિકો લોકો માંગ કરી રહ્યા છે.

રિપોર્ટર. બાજુભાઈ વણકર ધાનેરા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *