તાજેતરમાં યુવરાજસિંહ જાડેજા ને પોલીસ દ્વારા ધરપકડ કરી યુવરાજસિંહ જાડેજા પર ipc 307 અને 332 નીલ ધારા લગાડી યુવરાજસિંહ જાડેજા ને સાબરમતી જેલ ખાતે મોકલેલ છે સીટી યુવરાજસિંહ જાડેજા ને પોલીસ દ્વારા કરાયેલી ધરપકડને લઇ સમગ્ર ગુજરાતમાં પોલીસ સામે આક્રોશ ફેલાયો છે અને તાત્કાલિક ધોરણે યુવરાજસિંહ જાડેજા ને રિલીઝ કરવામાં આવે તેવી માંગ કરાઇ છે ત્યારે આજરોજ ડીસા ખાતે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવી યુવરાજસિંહ જાડેજા પર લગાવેલા તારા પરત ખેંચવા અને તેમને તાત્કાલિક ધોરણ રિલીઝ કરવા માંગ કરાઇ છે
યુવરાજસિંહ જાડેજા છેલ્લા ઘણા સમયથી સરકારી પરીક્ષા માં થતી ગેરરીતિ અને ખુલ્લી પાડવામાં આવતી હતી લાખો યુવાનોના ભવિષ્યને અંધકારમાં ડૂબતું બચાવ્યું હતું. જે બાદ યુવરાજસિંહ જાડેજા પોતાની ગાડી લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન પોલીસ દ્વારા યુવરાજ સિંહ ને રોકવા પ્રયત્ન કરાતા અને પોલીસ કર્મી ગાડીના બોનેટ પર ચડી ગયા હતો. જે બાદ પોલીસ દ્વારા યુવરાજસિંહ જાડેજા ની ધરપકડ કરી હતી અને પોલીસે ipc 307 અને 332 ને ધારાઓ લગાડી યુવરાજસિંહ જાડેજા ને સાબરમતી જેલ ખાતે મોકલવામાં આવેલ હતા. યુવરાજ સિંઘની ધરપકડ કરાતા સમગ્ર ગુજરાતમાં અને ખાસ કરીને યુવાનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા લગાવેલ ધારા અને યુવરાજસિંહ જાડેજા ને છોડવામાં આવે તેવી માંગ સાથે છોડવામાં આવે તેવો વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. જ્યારે ડીસા ખાતે આજરોજ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા ડીસાના નાયબ કલેકટરને આવેદનપત્ર પાઠવી પોલીસ દ્વારા યુવરાજસિંહ જાડેજા પર લગાવેલ ipc 307 અને ૩૩૨ ની ધારા પરત ખેંચવામાં આવે અને તેમને તાત્કાલિક ધોરણે રિલીઝ કરવામાં આવે તેવી માંગ સાથે આજરોજ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને જો યુવરાજસિંહ જાડેજા ને તાત્કાલિક ધોરણે છોડવામાં નહીં આવે તો આગામી સમયમાં રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી હતી..