ભારતીય ઉપખંડના મહત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રોમાં વર્ણવ્યા અનુસાર જયારે સમાજમાં સત્ય ઉપર અસત્ય, પ્રમાણિકતા ઉપર અપ્રમાણિકતા, સદાચાર ઉપર દુરાચાર અને ઋષિ સંસ્કૃતિ ઉપર દૈત્ય શકિતઓ હાવી થવા લાગી ત્યારે શ્રી રામે તેમનો નાશ કરવા માટે જન્મ લીધો. તે સમય હતો બપોરના બાર વાગ્યાનો અને તીથિ હતી ચૈત્ર સુદ નવમી. શ્રી રામના આ જન્મ દિવસને ઉત્તર થી દક્ષિણ અને પૂર્વથી પશ્ચિમ સુધી બધા રામનવમી તરીકે આજે પણ ધામધુમથી ઉજવે છે જેના ભાગરૂપે બનાસકાંઠા ના ધાનેરા ના જવાહર ચોક થી અંબાજી મંદિરે થી ભગવાન શ્રી રામ ની ભવ્ય સોભા યાત્રા નીકળવામાં આવી હતી જેમાં હિન્દુ સમાજ ના વિવિધ સંગઠનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિસદ,રાષ્ટ્રીય બજરંગ દળ ધાનેરા ,તેમજ લોકો જય શ્રી રામ ના નારા સાથે ઢોલ નગારા તેમજ ડીજે સાથે નાચતા હતા ભારે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ રેલી સંપૂર્ણ શાંતિ ના માહોલ માં નીકાળવામાં આવી હતી
પ્રતિનિધિ : ધાનેરા ભરતભાઈ ગલચર