વાવ ખાતે ઘન કચરા વ્યવસ્થાપન કાર્યક્રમ યોજાયો..

કહેવાય છે કે પાણી, જમીન અને હવાને જેટલું ગંદકીથી સાચવશો તેટલું એ તમને સાચવશે. ઠેર ઠેર કચરાથી થતી ગંદકીને પગલે, કચરાના નિકાલના અનુસંધાનમાં બનાસકાંઠા ના જિલ્લાના વાવ તાલુકામાં ઘન અને પ્રવાહી કચરાના વ્યવસ્થાપન અંગે કાર્યકર્મ યોજાયો હતો જેમા તાલીમકાર દ્વારા પી.પી.ટી પ્રેઝેન્ટેશન, ડોક્યુમેન્ટરી, અને સંવર્ધન, પાણી બચાવો, ઉજૉ બચાવો, કચરાનો યોગ્ય નીકાલ તથા વ્યવસ્થાપન, વૃક્ષારોપણ, નદી નાળાની સ્વચ્છતા, કુદરતી સંસાધનોનો ઉપયોગ અને જાળવણી વિશે તાલુકા ના સરપંચો તેમજ તલાટી ઓ ને માહિતી આપવામાં આવી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે ગામપંચાયત માં પ્રતિ વ્યક્તિ દર મહીને ૪ રૂપિયા ડોર ટુ ડોર કલેક્શન ના આપવામાં આવે છે અને આજ સુધી વાવ તાલુકાની ૫૩ ગ્રામ પંચાયતો માં ૨ હપ્તા નાખી દેવામાં આવ્યા છે અને આ કાર્યક્રમ થકી ગ્રાન્ટ નો ઉપયોગ કરવામાં આવશે તેની વિસ્તૃત માહિતી જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે મુકવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમ ના જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક આર .આઈ શેખ તેમજ DDO પી એ ધાસુરાભાઈ અને વાવ તાલુકા વિકાસ અધિકારી રાહુલ ભારદ્વાજ તેમજ સરપંચ અને તલાટી હાજર રહી આ કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *