સરહદી બનાસકાંઠા માં માર્ગ અકસ્માતો ના બનાવો માં નોધપાત્ર વધારો થઇ રહ્યો છે જેમાં રોડ રસ્તા માં મોટા મોટા ખાડાઓ પડી જતા રોડ બિસ્માર હાલત જોવા મળે છે જેમાં વાવ સુઈગામ સનાળી પાટિયા પાસે ગત રોજ ટ્રકે માંરી પલ્ટી મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં ડ્રાઈવર અને કંડેકટર નો આબાદ બચાવ થયો હતો જેમાં આજુબાજુ માં રહેતા ખેડૂત મિત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે આ મહિના માં ૨૦ વધુ ટ્રકો એ પલટી મારી છે તો પણ આ રોડ નું મરામત કરવામાં આવતી નથી અને કહ્યું હતું કે રોડ ઓથોરિટીની ઉંધ ઉડતી નથી શું કોઈ નિદોર્ષ લોકોનો ભોગ લેવાય તે પહેલા તંત્ર જાગશે ખરૂ તેવા સવાલો પણ કર્યા હતા
