ડીસાની આદર્શ પ્રાથમિક શાળા ખાતે વિજ્ઞાન મેળો યોજાયો

ભારત દેશમાં વિજ્ઞાન દ્વારા થતા લાભો સમાજમાં જાગૃતિ લાવવા અને વૈજ્ઞાનિક વિચારસરણી જાગૃત કરવાના હેતુ માટે રાષ્ટ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી પરિષદ અને વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રાલય  ભારત સરકારના ઉપક્રમે દર વર્ષે ફેબ્રુઆરી ૨૮ના દિવસે ભારતમાં ઉજવવામાં આવે છે.ફેબ્રુઆરી ૨૮ના દિવસે  સી. વી. રામન દ્વારા પોતાની શોધની જાહેરાત કરવામાં આવી હતી. આ શોધ માટે તેમને વર્ષ ૧૯૩૦માં નોબૅલ પારિતોષિક આપવામાં આવ્યું હતું.રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસનો મૂળ હેતુ યુવાન વિદ્યાર્થીઓને વિજ્ઞાન પ્રતિ આકર્ષિત તેમ જ પ્રોત્સાહિત કરવા અને સામાન્ય જનતાને વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સિદ્ધિઓ પ્રતિ સજાગ રાખવાનો છે. આ દિવસે બધી વિજ્ઞાન સંસ્થાઓ, જેમ કે રાષ્ટ્રીય અને અન્ય વિજ્ઞાન પ્રયોગશાળાઓ, વિજ્ઞાન અકાદમીઓ, શાળા અને કોલેજ અને તાલીમ સંસ્થાઓ ખાતે વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓ સાથે સંબંધિત કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે. મહત્વપૂર્ણ આયોજનોમાં વૈજ્ઞાનિકોનાં વકતવ્યો, નિબંધ, લેખન, વિજ્ઞાન પ્રશ્નોત્તરી, વિજ્ઞાન પ્રદર્શન, સેમિનાર અને પરિસંવાદ વગેરે સામેલ હોય છે. વિજ્ઞાન ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન માટે રાષ્ટ્રીય અને અન્ય પુરસ્કારો પણ જાહેરાત પણ કરવામાં આવે છે. વિજ્ઞાનની લોકપ્રિયતા વધારવા માટે વિશેષ પુરસ્કાર પણ રાખવામાં આવ્યા છે. જે અંતર્ગત આજે ડીસાની આદર્શ વિદ્યા સંકુલ સાથે પણ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ વિજ્ઞાન મેળામાં 135 થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લઇ 95 જેટલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. અને વિદ્યાર્થીઓ પણ આજે યોજાયેલા આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઈ પોતાનામાં રહેલા કૌશલ્ય વિજ્ઞાનમાં બતાવી કૃતિઓ રજૂ કરી હતી

આજે વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણીના ભાગરૂપે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ વિજ્ઞાનને લગતા અલગ-અલગ પ્રયોગો થકી કૃતિઓ બનાવી હતી જેમાં વિદ્યાર્થીઓએ 95 જેટલી કૃતિઓ બનાવી વિજ્ઞાન ક્ષેત્રે ભારત દેશ કેટલો આગળ છે તેની પાંખી ઝલક કરાવી હતી. આજે યોજાયેલા આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા જે વિજ્ઞાન મેળા નું પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આજે રહી વિજ્ઞાન મેળાના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *