સરહદી પંથક માં ભ્રુણ મળી આવતા ચકચાર

બનાસકાંઠા જિલ્લા ના વિવિધ વિસ્તારમા અધૂરા માસે જન્મેલા શિશુઓને તેમની માતાઓ તથા પરિવારના સભ્યો છોડીને જતા રહેવાની વિગતો વારંવાર સપાટી ઉપર આવે છે.તેવી જ ઘટના થરાદની મુખ્ય કેનાલમાં નવજાત બાળકીનું ભ્રુણ મળી આવ્યું છે .મળતી માહિતી મુજબ વાવના ઢીમાં રોડ પાસે આવેલ પુલ પાસે થી નવજાત બાળકીનું ભ્રુણ મળી આવતા થરાદ પોલીસ ને જાણ કરાતા ઘટના સ્થળે પહોંચી ભૃણ ને પી એમ અર્થે ખસેડવામાં આવ્યું.અને અજાણી મહિલા ના વિરુદ્ધ માં ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.આ ઘટના ને લઈ ને સરહદી પંથક માં આવા લોકો સામે ફિટકાર ની લાગણી છવાઈ રહી છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *