દિયોદર ખાતે ગૌસેવા સમિતિ દ્વારા બીમાર આખલા ને સારવાર કરી..

દિયોદર ખાતે ગૌમાતા ની સેવા કરવા હર હંમેશા ગૌસેવા સમિતિ ગ્રુપ તૈયાર રહે છે ત્યારે આજે દિયોદર બજાર વિસ્તાર માં એક આખલો બીમાર હાલત માં નજરે પડ્યો હતો ત્યારે ગૌસેવા સમિતિ ગ્રુપ ના સભ્યો ને જાણ કરાતા ગુપ ના સભ્ય રમેશભાઇ ભાટી અને મોન્ટુ પઢીયાર બીમાર આખલા ની મદદ માટે આવી પહોંચ્યા હતા અને કલાકો સુધી મહેનત કરીને બીમાર આખલાનો સારવાર કરવામાં આવી હતી જેમાં સારવાર દરમિયાન બીમાર આખલો મૃત્યુ પામ્યો હતો જેમાં આ ગ્રુપ. ના સભ્યો દ્વારા કોરોના કાળ હોય કે પછી. ઉતરાયણ જેવો પવિત્ર તહેવાર હર હંમેશા લોકો ની સેવા કરવા તૈયાર રહે છે થોડા દિવસો પહેલા ઉતરાયણ પર્વની ઉજવણી દરમિયાન 10 જેટલા ધાયલ થયેલા પક્ષીઓના જીવ બચાવ્યા હતા જેવા અનેક સેવાકીય કાર્ય કરવામાં. ગ્રુપના સભ્યો હર હંમેશા હાજર હોય છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *