ડીસા કોંગ્રેસ દ્વારા આવેદન પત્ર

સમગ્ર દેશ માં કોરોના ની ત્રીજી લહેર ના પગલે કોરોના ના કેસો માં સતત વધારો થઇ રહ્યો છે જોકે કોરોના ની બીજી લહેર માં અનેક લોકો એ જીવ ગુમાવ્યા હતા. અને સરકાર દ્વારા કોરોના મહામારી માં સ્વજન ગુમાવનાર ના પરિવરજનો ને ૫૦ હજાર ની સહાય પણ ચુકવવામાં આવી રહી છે ત્યારે આ મામલે ડીસા શહેર કોંગ્રેસ દ્વારા કોરોના માં મૃતક ના પરીવાર ને ૫૦ હજારના બદલે ૪ લાખ ની સહાય આપવાની માગ સાથે ડીસા મામાલદાર ને આવેદન પત્ર આપી રજુઆત કરી હતી. ડીસા શહેર કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઇ વ્યાસે જણાવ્યું હતું કે હાલમાં સરકાર દ્વારા કોરોના માં મૃત્યુ પામનાર વ્યક્તિ ના સગા ને માત્ર ૫૦ હજાર ની સહાય ચૂકવાય છે તેમાં પણ ઓનલાઈન ફોર્મ ભરવામાં પણ ભારે મુશ્કેલી સર્જાય છે. વળી અધિકારી ઓ દ્વારા વારંવાર ધકા ખવડાવતા કોરોના સહાય લેવા આવનાર લોકો હેરાન થઈ જાય છે વળી આવા જવા ના ધક્કા માં પણ ભાડું પણ ખર્ચાઈ જતા મુશ્કેલી ઉભી થાય છે ત્યારે સરકાર આ બાબતે ૫૦ હજાર ની જગ્યા એ ૪ લાખ ની સહાય આપે તેવી અમારી માગ છે.. સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ની બીજી લહેર લોકો માટે કાળ સાબિત થઇ હતી અને આ મહામારીમાં જોતજોતામાં અનેક લોકો મોતને પણ ભેટ્યા હતા. કોરોના મહામારીમાં ક્યાંક લોકોએ ભાઈ ગુમાવ્યો, ક્યાંક પિતા ગુમાવ્યા, ક્યાંક માતા ગુમાવ્યા, તો ક્યાંક બહેન ગુમાવી છે. ત્યારે સતત મૃત્યુ આંકડા પગલે સરકાર દ્વારા કોરોના મહામારીમાં મૃત્યુ પામનાર પરિવારને સરકાર તરફથી ૫૦ હજારની સહાય આપવાની નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ અંગે કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા લોકોના પરિવાર નું માનવું છે કે અમારે લાખો રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં અમારે અમારા પરિવારનો સભ્ય ગુમાવવો પડયો છે ત્યારે સરકાર દ્વારા જે હાલમાં ૫૦ હજારની સહાય જાહેર કરવામાં આવી છે તેની સામે હાલ અમારે ખર્ચ પણ મોટો થઈ રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા 50 હજાર ની જગ્યાએ ચાર લાખની સહાય ચુકવવામાં આવે તેવી માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *