બનાસકાંઠા જીલ્લા નું એક ગામ કે જ્યાં ઉતરાણ મનાવવામાં આવતી નથી ..ધાનેરા તાલુકા નું ફતેપુરા ગામમાં લોકો પતંગથી દૂર રહી ઉત્તરાયણની ઉજવણી માટેની અનોખી રાહ બતાવે છે. ગામના યુવાનો પતંગ છોડી ક્રિકેટ રમે છે તો ગામના વડીલો એકઠા થઇ ગામમાં પતંગ માટે થનાર ખર્ચની સામે ગૌમાતા સહિતના પશુઓ માટે ઘાસચારો અને શ્વાન માટે લાડુ બનાવવાના કામમાં જોડાય છે. ફતેપુરાના યુવાનોએ ગામમાં કોઇપણ વ્યક્તિના ઘરે મોતનો માહોલ ના સર્જાય તેમજ પક્ષી જગતના રક્ષણ માટે પણ પતંગ ચગાવતા નથી . ગામના વડીલો જણાવે છે કે 25 વરસ માં ફતેપુરા માં ઉત્તરાયણના દિવસે વીજ કરંટ લાગવાથી બે યુવકોના મોત થયા છે.એ સિવાય અનેક યુવકોને દોરીથી ઈજા થયાના તેમજ અનેક પક્ષીઓ દોરીથી વિંધાઈને મૃત્યુ પામ્યાના સમાચાર મળતા હોય છે. જેથી આ બાબતે ફતેપુરાના લોકો ગ્રામજનો માટે ચિંતિત થયા હતા અને તે દિવસે બધા ભેગા મળી ફતેપુરા ગામના લોકોનો આવા ભયના માહોલથી દૂર રાખવા માટે ઉત્તરાયણમાં દોરી પતંગ નહીં ચડાવવાનો નિર્ણય લીધો હતો.તેમ ગામના યુવાનો અને વડીલો કહી રહ્યા છે