સરહદી બનાસકાંઠા જીલ્લા માં અને સમગ્ર ગુજરાતમાં જે પ્રમાણે લોકોનું સંક્રમણ વધ્યું છે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ સમગ્ર ગુજરાતભરમાં રોજેરોજ નવા કોરોના પોઝિટિવ દર્દીઓના કેસ સક્રિય બની રહ્યા છે. તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાવાયરસ ની ત્રીજી લહેરની શરૂવાત થઈ ચૂકી છે.તેવામાં ત્રીજી લહેર માં ફરીવાર વાવ તાલુકામાં કોરોનાની એન્ટ્રી થઇ છે જે અંતર્ગત વાવ તાલુકા નું ગોલગાલ પી.એચ.સી ખાતે એક મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોકો થતો આ રોગ ને કેવીરીતે અટકાવી શકાય ,તેમજ ડીફટેરિયા અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી .ખાસ ૧૫ થી ૧૮ વર્ષ ના બાળકો કોરોના રસીકરણ વગેરે મુદ્દાઓ લગતી ચર્ચાઓ કરવામાં આવી હતી .કોરોનાની ગાઈડ લાઈન ને ધ્યાન માં રાખી આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં ગોલગામ પી .એચ.સી ના મેડીકલ ઓફિસર ઈશ્વરભાઈ રાજપૂત તેમજ FHS ,FHW, MPHW તેમજ આશાવર્કર બહેનો હાજર રહ્યા હતા ..