બનાસકાંઠા માં વધુ એક અનાજ કોભાંડ નો પર્દાફાશ,શંકાસ્પદ જથ્થો મળતા સીલ કરાયો ..

બનાસકાંઠા જિલ્લાના દિયોદર મુકામે ગત મોડીરાત્રે અચાનક જીઆઇડીસીના પ્લોટ નંબર 50મા મામલતદારની ટીમ તપાસ અર્થે પહોંચી હતી. જ્યાં તપાસ કરતાં મોટી સંખ્યામાં અનાજનો જથ્થો સંગ્રહ કરેલો જોવા મળતાં શંકાસ્પદ બન્યું હતું. ગણતરી કરતાં 318 કટ્ટા ઘઉં કિંમત રૂપિયા 3,18,000 અને 378 કટ્ટા ચોખા કિંમત રૂપિયા 3,96,000 એટલે કે કુલ 7લાખ 14 હજારની કિંમતનો જથ્થો મળી આવ્યો હતો. આ સાથે એક ગાડી કિંમત રૂપિયા 1,50,000 પણ મળી આવી હતી. આ તમામ મુદ્દામાલ પ્રાથમિક તબક્કે શંકાસ્પદ હાલતમાં મળતાં દિયોદર મામલતદારે સીલ કરી પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. 

સૂત્રોએ દ્વારા મળતી માહિતી અનુસાર જ્યાંથી જથ્થો મળી આવ્યો તે ભાડેથી રાખેલી જગ્યા હોઇ સ્થાનિક ભરત નામનો  ઈસમ કામગીરી સંભાળી રહ્યો છે. જોકે સ્થળ પરની ધંધાકીય જવાબદારી ડીસાના કોઈ ઈસમ જોતા હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર બાબતે હાલ દિયોદર મામલતદાર અને જિલ્લા પુરવઠા કચેરી તપાસ કાર્યવાહી કરી રહી છે. દિયોદર મામલતદાર નિધિબેને જણાવ્યું હતું કે, હાલ જથ્થો સીલ કર્યો છે અને વધુ તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *